પ્રશ્ન: સદગુરુ , નમસ્કારમ. ભારતમાં જ્યારે આપણે મૃત શરીરને બાળીએ છીએ, ત્યાર પછી આપણે હંમેશાં ગંગા અથવા નજીકની નદીમાં અસ્થિ નાખીએ છીએ. શું આનો કોઈ મહત્વ છે?

SadhguruImage]સદગુરુ: જ્યારે તમારું ખૂબ પ્રિય વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય, જો કે તમે જાણો છો કે તે મૃત છે, ક્યાંક, તમારું મગજ યુક્તિઓ રમવાનું શરૂ કરશે. "કદાચ તે સૂઈ રહ્યો છે, કદાચ તે હવે બેસશે, કદાચ તે રાખમાંથી પાછો આવશે." પરંતુ જ્યારે તમે નદીમાં રાખ ભરી દો છો, ત્યારે તમે જાણો છો કે તે હવે પૂરું થઈ ગયું છે. મૃત્યુની ઊંડી સ્વીકૃતિ જીવનમા થાય છે - અને તે મૃતકો માટે પણ છે.

મૃતક ને સંસારથી મુક્ત કરવું જોઈએ

મૃત્યુના ચાલીસ દિવસ સુધી, હજુ પણ તેને શરીરને સંપૂર્ણપણે છોડવા માટે સમય લાગે છે. શરીરને બાળી નાખ્યું હોય તો પણ, તે શરીરના કેટલાક તત્વો જેમ કે રાખ અથવા તેનાથી સંબંધિત કંઈક, જેમ કે તેમના વપરાતા કપડાંની તપાસ કરશે.

 

તેથી જ હિન્દુ પરિવારોમાં, જે ક્ષણે વ્યક્તિનું મૃત્યુ થાય છે, તે જ ક્ષણે એ વ્યક્તિ જે કપડાંનો ઉપયોગ કર્યો છે, ખાસ કરીને તે કપડાં જે વ્યક્તિના શરીરને સ્પર્શ કર્યા છે, જેમ કે અંતરવસ્ત્રને બાળી નાખવામાં આવે છે. આ એટલા માટે છે કારણ કે હજી પણ શરીરના તત્વો, કદાચ પરસેવો, શરીરની ગંધને શોધે છે, કારણ કે એ અનુભૂતિ હજુ પણ આવી નથી આવી કે બધુ સમાપ્ત થઈ ગયું છે. જો તમે એક જ જગ્યાએ રાખ રાખશો, તો તે તેની તપાસ કરશે. તેથી, રાખને નદીમાં નાખી દેવામાં આવે છે જ્યાં તે ફેલાશે અને ડૂબી જશે. તે રીતે, એ મળી શક્તુ નથી. જે શક્ય છે તે બધુ જ કરવામાં આવે છે જેનાથી તેને સમજાય કે હવે બધુ સમાપ્ત થઈ ગયું છે.

ઋણનુંભંધ: બંધનને તોડી નાખો 

બીજો એક પાસો એ છે કે જ્યારે પણ તમે કોઈને સ્પર્શ કરો છો -કાં તો એ રક્ત સંબંધો હોય અથવા લૈંગિક સંબંધો હોય , અથવા તો તમે કોઈનો હાથ પકડો છો કે કપડાંનું આપ-લે કરો છો - તો આ બંને શરીર ઋણનુંબંધન ઉત્પન્ન કરશે, એક સમાનતા ઉત્પન્ન કરશે. ભૌતિક સમાનતા થાય છે.

જ્યારે કોઈનું મરણ થાય છે, પરંપરાગત રીતે, તમે ઋણનુંબંધન કેવી રીતે સંપૂર્ણપણે કાઢી નાખવું તે શોધી રહ્યા છો. ગંગા અથવા મહાસાગરમાં રાખ રાખવાનો વિચાર તેમને શક્ય તેટલો વ્યાપક રીતે વિખેરી નાખવો છે જેથી કરીને તમે ઋણનુંબંધન વિકસાવી ન શકો. તમારા જીવનને ચાલુ રાખવા માટે, તમારે આ ઋણનુંબંધન યોગ્ય રીતે તોડી નાખવો પડશે. નહિંતર, આધુનિક સમાજમાં જે થઈ રહ્યું છે તે તમારા શારીરિક અને માનસિક પાયાને અસર કરી શકે છે. તે તમારા શરીર અને માનસિક પાયાને આ રીતે નબળી પાડે છે કે જે બે સુંદર લોકો વચ્ચે બનેલી બધી સુંદર વસ્તુઓને સંતોષવાને બદલે, તમે તેને સહન કરશો. તે જીવનના ચોક્કસ ઉદ્ગારને પણ દોરી શકે છે. આને અવગણવા માટે, અમે એકલા ભૌતિક યાદશક્તિનો નાશ કરવાનો પ્રયાસ કરીએ છીએ - મનોવૈજ્ઞાનિક યાદશક્તિનો નહીં. તમારે મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક મેમરી ગુમાવવી જોઈએ નહીં. કોઈક જે તમારી માટે મહત્વ ધરાવે – તો તમે તેમને કેમ ભૂલી જાઓ? તમારે હંમેશાં તે સંબંધનું ધ્યાન રાખવું જોઈએ. પરંતુ આપણે ભૌતિક મેમરીને નષ્ટ કરવા માંગીએ છીએ.

તાંત્રિક પ્રક્રિયા

બીજું એક કારણ પણ છે કે કેમ આપણે રાખને નદીમાં નાખવા માંગીએ છીએ. વ્યક્તિના ગુણો મૃત્યુ પછી રાખમાં રહે છે. જો તમે શરીરને બાળો છો, તો ફોરેન્સિક પ્રયોગશાળા માટે એ ડીએનએ વિશ્લેષણથી રાખના મારફતે વ્યક્તિને ઓળખવું શક્ય છે. તેથી જો તમે તેને સાચવી રાખો છો, તો તે હજી પણ આસપાસ હોઈ શકે છે! તેથી જ જે લોકો તંત્રવિદ્યાના પ્રયોગ કરે છે તેઓ સ્મશાન પર શરીર બળ્યા પછીની રાખ ભેગી કરવા માટે રાહ જુવે છે- તેઓ તેમની તરફ આકર્ષિત કરવા માટે. તેઓ તેનો ઉપયોગ અલગ રીતે કરવા માંગે છે. જ્યારે તમારું કોઈ પ્રિયજન મરી જાય છે, ત્યારે તમે ખાતરી કરો છો કે તેમની રાખ ખોટા હાથમાં નથી. તમે નથી ઇચ્છતા કે તમારા પૂર્વજો અથવા સંબંધીનો લાંબા સમય સુધી દુરુપયોગ થાય કે પછી તાંત્રિક પ્રક્રિયાનો ભોગ બને.

જ્યારે તમે નદીમાં રાખને નાખો છો, ત્યારે કોઈ પણ તેને લઈ શક્તુ નથી. તેને ફેલાવવાનો બીજો રસ્તો એ છે કે પહાડ પર જઇ જ્યાં વધુ પવન ફૂંકાય ત્યાં નાખી ડો જેથી તે બધે ફેલાય જાય. ઇરાદો એ છે કે કોઈને પણ નાની અમથી મૂઠી-ભર રાખ પણ ના મળી શકે.


સંપાદકની નોંધ:કાયન્તસ્થાન એ ઇશાની ક્રીમેશન સર્વિસ છે જેણે પ્રાચીન પરંપરાઓ અને મૃતક વિધિઓને પુનર્જીવિત કર્યા છે, જે તેમને વ્યવસાયિક સાહસની જગ્યાએ સેવાની ભાવનાથી ચલાવે છે. અમે વધુ લોકોને આ સેવાઓ પ્રદાન કરવા માટે તમારી સહાય અને યોગદાનની વિનંતી કરીએ છીએ. વધુ માહિતી માટે, કાયન્તસ્થાન - ઇશાની ક્રીમેશન સેવાઓની મુલાકાત લો..