પ્રશ્ન: મને વધારે પગારવાળી નોકરીમાં કામ કરવાની, અને બીજી જે મને ખરેખર ગમે છે પણ જ્યાં પગાર એટલો વધારે નથી, તે વચ્ચે પસંદગી કરવાની છે. હું બંને વચ્ચે કેવી રીતે પસંદ કરી શકું?

સદગુરુ: તમે કેટલા મૂલ્યવાન છો તે માત્ર તમને કેટલી ચૂકવણી કરવામાં આવે છે તેનાથી નક્કી નથી થતું. તમારા મૂલ્યનું મૂલ્યાંકન તમને શું જવાબદારીઓ આપવામાં આવી છે તેના આધારે કરવું જોઈએ. વિશેષાધિકાર એ તમે મેળવેલા પૈસા નથી, વિશેષાધિકાર એ છે કે તમને કંઈક બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.

પૈસા આપણા અસ્તિત્વને ટકાવી રાખવા માટેનું એક સાધન છે, અને તે એ હદ સુધી જ જરૂરી છે. જો કે, તમને જે કરવાનું કહેવામાં આવે છે તેના સંદર્ભમાં તમારે હંમેશાં પોતાનું મૂલ્યાંકન કરવું આવશ્યક છે. તમને આપવામાં આવતી જવાબદારીનું એ કયું સ્તર છે? તમારા માટે અને તમારા આસપાસના દરેક માટે ખરેખર કંઈક યોગ્ય બનાવવાની તમારી પાસે કઈ તક છે?

બીજા જીવનને સ્પર્શવું

તમે વિશ્વમાં જે પણ કાર્ય કરો છો તે તમારા માટે ખરેખર યોગ્ય છે, જો તમે લોકોના જીવનને ઉંડે સ્પર્શ કરી શકશો. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ ફિલ્મ બનાવતા હોવ, તો શું તમે કોઈ એવી ફિલ્મ બનાવવા માંગો જેને કોઈ જોવા ન ઇચ્છે? અથવા એવું મકાન બનાવો કે જેમાં કોઈ પણ રહેવા ન માંગે? તમે એવું કંઈક ઉત્પન્ન કરવા નહીં માંગો જેનો કોઈ ઉપયોગ ના કરે, કારણ કે કોઈક રીતે, તમે લોકોના જીવનને સ્પર્શ કરવા માટે ઉત્સુક છો.

જો તમે નજીકથી જુઓ, તો તમને દેખાશે કે તમને એવી જ પ્રવૃત્તિ જોઈએ છે જેનાથી તમે લોકોના જીવનને સ્પર્શી શકો છો. ઘણા લોકો તેમના જીવનને કામ અને કુટુંબમાં વહેંચવાનો પ્રયાસ કરે છે, જ્યાં કાર્ય તમે ફક્ત પૈસા માટે કરો છો, અને કુટુંબ એ જે તમે લોકોના જીવનને સ્પર્શવા માટે કરો છો. પરંતુ આ પાસાને ફક્ત પોતાના પરિવાર સુધી મર્યાદિત રાખવાની જરૂર નથી. તે જીવનના દરેક ક્ષેત્રમાં પોતાને વિસ્તૃત કરી શકે છે. તમે જે પણ કરો તે લોકોના જીવનને સ્પર્શવું જોઈએ - તે જ છે જે ખરેખર મહત્વનું છે.

તમે લોકોના જીવનને કેટલી ઉંડાણપૂર્વક સ્પર્શો છો તે એના પર નિર્ભર કરે છે કે તમે જે કરો છો તેમાં તમારો કેટલો સમાવેશ છે.

તમે લોકોના જીવનને કેટલા ઉંડાણપૂર્વક સ્પર્શો છો તેના પર નિર્ભર છે કે તમે જે કરો છો તેમાં તમારો કેટલો સમાવેશ છે. જો તમે ઉંડાણપૂર્વક સામેલ છો, તો કુદરતી રીતે તમે જે પ્રકારે કામ કરશો તે ખૂબ જ અલગ હશે, અને તમને તમારી ક્ષમતાઓ અનુસાર ચૂકવણી કરવામાં આવશે. કેટલીકવાર તમારે થોડો સોદો કરવો પડશે અથવા વધારા માંગવો પડશે, સંભવત: તમારી કંપનીને આ બાબતો વિશે યાદ અપાવવાની જરૂર છે. પરંતુ સામાન્ય રીતે, જો લોકો તમને તે ચોક્કસ વ્યવસાય અથવા કંપની માટેના તમારા મૂલ્યની અનુભૂતિ કરશે, તો તેઓ તે મુજબ ચૂકવણી કરશે.

જો તમે જે કરો છો તેમાં ઉન્નતિ કરશો, તો કોઈ દિવસ, જ્યારે તે જરૂરી હશે, ત્યારે તમે એક સ્થિતિથી બીજી સ્થિતિમાં સ્થાનાંતરિત થઈ શકશો, અને તમારા પૈસા દસ ગણા વધશે. ઉદાહરણ તરીકે, ચાલો આપણે કહીએ કે તમે કોઈ કોર્પોરેશનનું નેતૃત્વ કરી રહ્યા છો અને કોઈપણ કારણોસર તમને વધારે પગાર આપવામાં આવતો નથી, પરંતુ તમને આખી કામગીરી ચલાવવાની સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. જો તમે સારું પ્રદર્શન કરશો અને આખી દુનિયા જોશે, તો કોઈપણ તમને આવતીકાલે ગમે તે કિંમતે લઈ જવા તૈયાર થશે. તેથી પૈસાની દ્રષ્ટિએ હંમેશાં તમારી કિંમત નક્કી કરવાની જરૂર નથી.

આપણી પાસે કંપનીઓ શા માટે છે

આપણે નિગમોની સ્થાપના કરી છે જેથી આપણે વ્યક્તિગત રૂપે જે ન કરી શકીએ તે આપણે સામૂહિકરૂપે મેળવી શકીએ. આપણે બધું વ્યક્તિગત ઉદ્યોગસાહસિકો તરીકે સંચાલિત કરી શકતા- તે રીતે આપણે પહેલા સંચાલિત કરતાં હતા - દરેક જણ કોઈ ચીજવસ્તુના ઉત્પાદક અને વેપારી હતા. પરંતુ જ્યારે આપણે હજારો લોકોની ઇચ્છાને એક દિશામાં એકસાથે રાખવા તૈયાર થઇએ ત્યારે તે કંઇક મોટું સિધ્ધ કરવું એ નિગમનું કાર્ય છે.

લોકો તમને જવાબદારી આપવા માટે તૈયાર છે તે સ્તરની દ્રષ્ટિએ તમારે હંમેશાં તમારા મૂલ્યનું મૂલ્યાંકન કરવું આવશ્યક છે, અને શું તમે જે બનાવી રહ્યા છો એ ખરેખર તમારા માટે અને અન્ય લોકો માટે યોગ્ય છે.

તમારું વાસ્તવિક મૂલ્ય જવાબદારી અને વિશ્વાસના સ્તરમાં છે જે આ કોર્પોરેશનમાં મૂકવામાં આવ્યું છે. પૈસાની દ્રષ્ટિએ તમે તેનાથી કેટલું ઉદ્ભવ્યું છે તે મહત્વનું છે, પરંતુ તે જ બધું નથી. લોકો તમને જવાબદારી આપવા માટે તૈયાર છે તે સ્તરની દ્રષ્ટિએ તમારે હંમેશાં તમારા મૂલ્યનું મૂલ્યાંકન કરવું આવશ્યક છે, અને શું તમે જે બનાવી રહ્યા છો તે તમારા માટે અને અન્ય લોકો માટે ખરેખર યોગ્ય છે.

સંપાદકની નોંધસદગુરુ તમારી કારકિર્દી, વ્યવસાય અથવા જીવનમાં પુનર્જન્મ લેવા અને "સંક્રમણ" ને સફળ બનાવવા માટે જરૂરી ગુણોના સવાલનો જવાબ આપે છે.Reboot Your Career This Year: The Qualities You’ll Need.