પ્રશ્ન:હું જ્યારે પણ કોઈને મળું છું ત્યારે લોકો સાથે હળવા-મળવા માટે મને ખૂબ જ બેચેની લાગે છે. તે કોઈ માનસિક સમસ્યા છે અથવા એવું છે કે હું ફક્ત સમાજમાં ફિટ નથી થતો? હું શું કરું?

સદગુરુ:તમે ચોક્કસપણે “યોગ” નામનો એક શબ્દ સાંભળ્યો જ હશે. જ્યારે હું “યોગ” કહું છું ત્યારે લોકો તરત જ શરીરને અમુક મુદ્રામાં વાળવાનું વિચારે છે. ના, યોગ શબ્દનો અર્થ છે “મિલન”. જીવનની તમારી ધારણામાં તમે અલગ છો અને વિશ્વ અલગ છે. તેથી ખરેખર તમે બ્રહ્માંડ વિરુદ્ધ છે. તમારું બ્રહ્માંડ વિરુદ્ધ હોવું એક ખરાબ સ્પર્ધા છે. શું તમને લાગે છે કે તમારી પાસે આ સ્પર્ધા જીતવાની કોઈ તક છે? બ્રહ્માંડ સાથે સ્પર્ધા કરશો નહીં.

આથી જ આપણને યોગ નામનો માર્ગ મળ્યો. યોગ અથવા મિલનનો અર્થ એ છે કે તમે સભાનપણે તમારી વ્યક્તિત્વની સીમાઓ કાપી નાખો, તેથી તમે અને બ્રહ્માંડ જેવી કોઈ જુદી વસ્તુ નથી - તે એક જેવી લાગે છે. તમારે થોડો યોગ કરવાની જરૂર છે, નહીં તો તમારું મન તમામ પ્રકારના વિચારો, ભાવનાઓ અને મંતવ્યોથી અમળાઈ જશે.

યોગ નામનું એક આખું વિજ્ઞાન અને તકનીક છે, જેનો અભિગમ તમારા શરીર, રસાયણશાસ્ત્ર, માનસિક વધઘટ અને શક્તિઓને કેવી રીતે સંભાળવી તે દિશામાં છે. જો તમે આને એક નિશ્ચિત સ્તરે લાવો છો, તો ગમે તે આવે, તમે સરળ જ હશો.

જો તમે તેને થોડા ખૂલો છો, જો તમે તમારી વ્યક્તિત્વની સીમાઓ કાપી નાખો છો, તો તે ખૂબ જ સરળ બને છે કારણ કે જ્યારે તમે અહીં બેસો છો ત્યારે તમે તે વ્યક્તિને તમારા પોતાના ભાગ રૂપે જોશો. તમને કોઈ સમસ્યા નથી, પછી ભલે તે પુરુષ, સ્ત્રી, બાળક અથવા પ્રાણી છે. તમે દરેક વસ્તુ સાથે એકદમ સપૂર્ણપણે વાતચીત કરી શકશો કારણ કે તમે તમારી સીમાઓ ખોલી નાખી છે. તમને હંમેશાં સમસ્યા રહેશે ત્યારે જ કે જ્યારે તમે તમારી સીમાઓ બાંધી રાખી છે. જો તે પુરૂષ છે, તો ત્યાં એક પ્રકારની સમસ્યા છે. જો તે સ્ત્રી છે, તો બીજી પ્રકારની સમસ્યા છે.

આ એ સમય છે જ્યારે તમે પોતાને સરળ બનાવવા પર કામ કરો છો - અન્ય લોકો સાથે નહીં, ફક્ત જીવન સાથે. તમે જે જીવન છો તે નિશ્ચિંત હોવું જોઈએ. જો તમે નિશ્ચિંત ન હોવ, તો તમને તમારી પૂર્ણ ક્ષમતાનો ખ્યાલ નહીં આવે.

દરેક વ્યક્તિમાં એક ચોક્કસ પ્રતિભા છે. પરંતુ નવાણું ટકા લોકો હમેશાં પોતાની અંદરની પ્રતિભા જાણ્યા વગર જીવે છે અને મરી જાય છે. જો તેને જાણવું હોય, જો તમારી અંદરની સાચી ક્ષમતાઓ જાણવી હોય, તો તમારું જીવન નિશ્ચિંત થવું જોઈએ. યોગ નામનું એક આખું વિજ્ઞાન અને તકનીક છે, જેનો અભિગમ તમારા શરીર, રસાયણશાસ્ત્ર, માનસિક વધઘટ અને શક્તિઓને કેવી રીતે સાંભળવી તે દિશામાં છે. જો તમે આને એક નિશ્ચિત સ્તરે લાવો છો, તો ગમે તે આવે, તમે સરળ જ હશો. ઉશ્કેરાટમાં, બધું વિકૃત થઈ જશે. તેથી, નિશ્ચિંત રહેવું એ સૌથી મહત્વપૂર્ણ છે, નહીં તો જે રીતે જીવન છે તેનો તમે અનુભવ કરી શકશો નહીં.

સંપાદકની નોંધ:સદગુરુ આ વસંત રૂતુમાં લોસ એન્જલસ અને ફિલાડેલ્ફિયામાં ઇનર એન્જિનિયરિંગ કંપલિશન પ્રોગ્રામ ઓફર કરશે. જીવનને પરિવર્તન આપતી શાંભવી મહામુદ્રા ક્રિયાને સીધા સદગુરુ પાસેથી શીખવાની આ એક અનન્ય તક છે. અત્યારે જ રજિસ્ટર કરો!

Register for IE with Sadhguru