આપણને બાળપણ થી શિખવવામાં આવે છે, આ બધી વસ્તુઓ સારી છે અને તે વસ્તુઓ ખરાબ છે. સમય સાથે સારા અને ખરાબનો આ જ તફાવત કેવી રીતે આપણા માટે બંધન બની જાય છે? સદગુરુ આપણને જણાવે છે કે આપણા અંતર્ગત જો કોઈ પણ પ્રકારનો ભેદભાવ ઉત્તપન્ન થાય છે, તો મૌનની સ્થિતિ ઉત્પન્ન નથી થઈ સકતી.

સદગુરુ: સારા, ખરાબ અને બંનેથી ઉપરની શિક્ષા આવા ઘણા ગુરુઓ છે, જેણે લોકોને ભલાઈનો પાઠ શીખવ્યો છે. કેટલાક લોકો બીજાને દુષ્ટ કાર્યો પણ શીખવે છે. પણ એવા ગુરુઓ પણ થયા છે, જે પોતાના તરફ થી સારા અને ખરાબ, બન્નેનો નાશ કરવા માટે દરેક શક્ય પ્રયત્નો કરે છે જેથી જીવન જેવુ છે, તે જ રીતે જીવી શકાય, તેને ભલાઈ અને અહંકારની વિચારસરણી અને લાગણીઓ મુજબ ન જીવવું જોઈએ. ત્યારે જ એક વ્યક્તિ જાણી સકશે કે અંદરથી મૌન થવું કોને કહેવાય. સારા લોકો ચૂપ રહી શકતા નથી. ખરાબ લોકો પણ ચૂપ રહી શકતા નથી. ફક્ત તે જ લોકો જે આ બંને મુદ્દાઓ પર ધ્યાન આપતા નથી, જે જીવનની પ્રક્રિયાને ધ્યાનમાં રાખે છે, તે જ સાચા અર્થમાં મૌન રાખી શકે છે.

આ અને તે

મૌન એટલે તમારામાં કશું જ ચાલી રહ્યું નથી. મૌનનો અર્થ એ નથી કે હું પક્ષીઓનો કલરવ અથવા વાદળોની ગર્જના અથવા સૂર્યના ઉદયની જાણ નહીં થાય. મૌનનો અર્થ એ છે કે મેં ઘોંઘાટ કરવાનું બંધ કરી દીધું છે.

દરેક જગ્યાએ, આ પ્રશ્ન વારંવાર સામે આવે છે - 'હું કેટલી આધ્યાત્મિકતા કરવી જોઈએ?' તમે જેટલુ પણ કરશો, હંમેશાં મુશ્કેલીમાં જ રહેશો. તમારે ફક્ત આ અને તે કરવું પડશે.

બધા અવાજ મૂળરૂપે એટલા માટે જ બહાર આવે છે કારણ કે તમે આ અને તેનું વિભાજન બનાવ્યું છે. જ્યાં આ અને તે હશે, ત્યાં મૌન હોઈ શકે નહીં. જ્યાં આ અને આ થશે, ત્યાં મૌન હોઈ શકે છે. દરેક જગ્યાએ, આ પ્રશ્ન વારંવાર સામે આવે છે - 'હું કેટલી આધ્યાત્મિકતા કરવી જોઈએ?' તમે જેટલુ પણ કરશો, હંમેશાં મુશ્કેલીમાં જ રહેશો. તમારે ફક્ત આ અને તે કરવું પડશે. બીજું બધું જ તેમાં યોગ્ય રીતે ફિટ થવું જોઈએ, પછી બધુ ઠીક થશે. જો તમે આ અને તે કર્યું, તો પછી તમે મુશ્કેલીમાં પડશો અને તે કાર્ય કરશે નહીં. જે લોકોએ બીજાને ભલાઈ શીખવાળવાનો પ્રયત્ન કર્યો તેનું કારણ એ હતું કે સમાજ એ સમયે તે માર્ગથી એટલો ભટકી ગયો હતો, કે સામાજિક વ્યવસ્થામાં સંતુલનની સમજ લાવવા અને લોકોને તે સમયના મૂંઝવણમાંથી દૂર કરવા માટે, તેમણે તેનું વિપરીત શીખવ્યું.

એક સમયે લોકોને 'આંખના બદલે આંખ' શીખવવામાં આવ્યું હતું, અને તે પછી એક માણસ આવ્યો જેણે આવીને કહ્યું, 'જો કોઈ એક ગાલ પર થપ્પડ મારે તો પછી બીજી ગાલ આગળ કરો.' તે ફક્ત એટલા માટે હતું કે એ સમયે લોકો બંધનમાંથી મુક્ત કરી શકાય. જો તમને તેને હજી વધુ જીવિત રહેવા દીધું હોત, તો તેઓ એ પણ બતાવતા કે કોઈને ગાલ પર થપ્પડ મારવો પડે તો કેવી રીતે મારવું જોઈએ. સંભવ છે કે તેણે તે જ શીખવ્યું હોય જેની જરૂર હતી. બાકીના લોકો જાતે જ શીખવા માટે સક્ષમ હતા.

સારી અને ખરાબ વિચારસરણી

ભલાઈના દરેક વિચાર માત્ર જુદા જુદા પ્રકારનાં પૂર્વગ્રહો પેદા કરે છે. જ્યારે તમે એક વસ્તુને સારું કહો છો અને બીજાને ખરાબ, ત્યારે તમારો બોધ ખરાબ રીતે વિકૃત થઈ જાય છે. તમારી પાસે પોતાને તેનાથી દૂર કરવા માટે કોઈ માર્ગ નથી રહેતો.

યોગનું મૂળ ભાવાર્થ એ છે કે તે બધી વસ્તુઓનો નાશ કરી નાખો જે પહેલા તમને સારી લાગતી હતી, પરંતુ પછીથી એ તમારી મૂંઝવણનું કારણ બને ગઈ.

ભલે તમે તેને પણ જુઓ, પણ તે જ રહેશે. તેને કાઢી નાખવા માટે આપણે યોગ બનાવ્યું. આ જ કારણ છે કે યોગના પહેલા શિક્ષક શિવે, નાશક કહેલા છે. યોગનું મૂળ ભાવાર્થ એ છે કે તે બધી વસ્તુઓનો નાશ થાય છે જે પહેલા તો તમને સારી લાગણીઓ થાય છે, પરંતુ પછીમાં તમારી મૂંઝવણનું કારણ બને છે. જ્યારે શિવે યોગ શીખવાડ્યું તો તેઓએ ઘણી અલગ અલગ રીતે કર્યું. એક સ્તર પર, તેમણે પણ કહ્યું કે તે ખૂબ નજીક છે. તેમણે પાર્વતી ને કહ્યું, 'તમે મારા ખોળામાં બેસી જાઓ, બસ, આ યોગ છે.' આ એક પુરુષની ગતિવિધિ છે, તે એક પુરુષની ચાલ છે. ના, કારણ કે તેઓ માત્ર પાર્વતીને સ્વીકારતા નથી, પણ તેમના પોતાના અંધાધૂંધી વિસર્જિત કરે છે અને પાર્વતીને પોતાનો ભાગ બનાવે છે. જ્યારે પાર્વતીએ અનેક પ્રકારના પ્રશ્નો કર્યા, ત્યારે તેઓ બોલ્યા, 'તમે ચિંતા કરશો નહીં. બસ મારા ખોળામાં બેસી જાઓ , બસ આ જ બધું છે. બસ મારા ખોળામાં બેસો બાકી બધું જ થઇ જશે.' પરંતુ કોઈ અન્યને તેઓએ  વિસ્તૃત રીતે શીખવાડ્યું , માનીલો સત્ય મિલો દૂર છે, અને કેવી રીતે તે લાખો માઇલની અંતર નક્કી થઈ શકે છે. એક જ વ્યક્તિ બન્ને રીતે વાત કરતા દેખાય છે.

સત્ય વિશે કંઈક કરવાની જરૂર નથી

આ સૌથી સુંદર વાત એ છે કે તેઓ સત્ય માટે નહીં, પોતાની આગળ બેસેલા લોકો વિશે કંઇક કરે છે. કારણ કે સત્ય વિશે કંઇક કરી શકાતું નથી અને કંઈક કરવાની જરૂર પણ નથી. દુનિયાએ આજ ભૂલ કરી છે.

જે પરિસ્થિતિમાં લોકો આ પળમાં છે, તે જ સ્થિતિમાં તેમના વિશે કંઇક કરવું, અને પરમ તત્વ વિશે કંઇ ન કરવું એ જ યોગ વિજ્ઞાનનો સાર છે.તેઓ સતત તે પરમ તત્વ વિશે કંઈક કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તેમણે ક્યારેય લોકો વિશે કંઈક કરવા માટે પ્રયાસ કર્યો નથી. તેઓ હંમેશા ભગવાન વિશે કંઈક કરવા માટે પ્રયત્ન કરે છે, જેને તેઓ પરમ માને છે. જ્યારે તમે તે પરમ તત્વ વિશે કંઇક કરવાનું શરૂ કરો છો, તો તમે ઘણા પ્રકારના કાલ્પનિક દિશાહિનતાથી ઘેરાઓ છો.