Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
એકવાર તમારી અને તમારી વિચાર પ્રક્રિયા વચ્ચે એક અંતર હોય, ત્યારે એક નવી આઝાદીનો જન્મ થાય છે. આ આઝાદી સાથે એક નવા બોધનો ઉદય થાય છે.
ખુદ તમે જ જીવનને જાણવાનો એકમાત્ર દરવાજો છો, તેને ખુલ્લો રાખો.
માણસ કોઈ સાધન કે વસ્તુ નથી. માણસ એક મહાન સંભાવના છે. યોગ્ય સારસંભાળથી તેઓ એક ખાસ વ્યક્તિમાં ખીલી ઉઠશે.
તે મહત્ત્વનું છે કે તમે કોઈને આદરની દ્રષ્ટિએ કે હીનતાની દ્રષ્ટિએ ન જુઓ. બધી વસ્તુઓને તે જેમ છે તેમ જોવી એ સાચી દ્રષ્ટિ છે.
યોગ સ્વર્ગમાં જવા વિષે નથી. તે પોતાનામાં સ્વર્ગનું સર્જન કરવા વિષે છે.
તમે ભૂતકાળ કે ભવિષ્યથી પીડાઈ ન શકો કેમ કે તેમનું અસ્તિત્વ જ નથી. તમે જેનાથી પીડાઈ રહ્યા છો તે તમારી યાદશક્તિ અને તમારી કલ્પના છે.
તમારી અંદરનું જીવન તમારા શરીર, મન અને લાગણીઓની સેવા માટે નથી. શરીર, મન અને લાગણીઓ જીવનની સેવા માટે છે.
જીવન ત્યારે જ સુંદર છે જ્યારે તે સંતુલનમાં હોય.
એક પૂરી રીતે વિકસિત માણસ હોવાનો અર્થ છે જીવનને તેની સમગ્રતામાં જીવવું, જીવનના દરેક પાસાંને, જીવનની દરેક ક્ષણને.
ધ્યાન ન તો એકાગ્રતા છે ન આરામ. તે ઘરે પાછા ફરવા જેવું છે.
બધી વસ્તુઓને તે જેમ છે તેમ જોવી એ તમને જીવનમાંથી સહજતાથી પસાર થવાની શક્તિ અને ક્ષમતા આપે છે.
જો તમારી માનવતા પૂરજોશમાં વહેતી હોય તો તમે તમારી આસપાસના જીવન તરફ તમારો હાથ લંબાવશો. આ નૈતિકતા નથી - આ માણસનો સ્વભાવ છે.