Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
જીવન સહજ છે. ખાલી મન તણાવમાં છે.
દુનિયામાં મોટાભાગના લોકો કામમાં વ્યસ્ત નથી - તેઓ કોઈને કોઈ વસ્તુમાં અટવાયેલા છે.
ભગવાનને તમારી ભક્તિની જરૂર નથી. તે માણસનું હૃદય છે જેને ભાવનાઓના ચરમ શિખરનો અનુભવ કરવાની જરૂર છે.
આસક્તિ પ્રેમ નથી. કોઈના પ્રત્યે આસક્ત હોવું એ બીજા વ્યક્તિ વિષે નથી - તે તમારી પોતાની અધૂરાપણાની ભાવના વિષે છે.
ઉંમર સાથે, તમારી શારીરિક ચપળતા ઘટી શકે છે. પણ તમારી જીવંતતા ઘટવી જરૂરી નથી.
તમારી સૌથી નજીકના અને સૌથી પ્રિય વ્યક્તિને તમારા સૌથી ખરાબ રૂપનો અનુભવ કરવો પડે છે. શેરીમાં ચાલતા કોઈ અજાણ્યા માણસને તમારા ખરાબ રૂપનો અનુભવ નથી કરવો પડતો.
જાગરૂકતા એવું કંઈક નથી જે તમે કરો છો. તમે જાગરૂકતા જ છો.
મન સમાજની કચરાપેટી છે. જે પણ પાસેથી પસાર થાય છે તે તેમાં કોઈ વસ્તુ નાખતું જાય છે.
તમારું જીવન બીજાની સાથે સરખામણી કરીને ન વેડફો. બસ એ જુઓ કે શું તમે ગઈકાલ કરતા આજે થોડા વધુ સારા છો કે નહિ.
તમે શું કરો છો તેનાથી તમે કોણ છો તે નક્કી ન થવું જોઈએ. તમે કોણ છો તેનાથી તમે શું કરો છો તે નક્કી થવું જોઈએ.
જો તમે તમારા હાલના અસ્તિત્વની સીમાઓને ઓળંગવા માંગતા હોવ, તો તમારા હૃદયમાં ગાંડપણ હોવું જોઈએ પણ તમારું મન એકદમ સંતુલિત હોવું જોઈએ.
જ્યારે બે લોકો સાથે આવે, ત્યારે તે આનંદ વહેંચવા વિષે હોવું જોઈએ, એકબીજામાંથી આનંદ નીચોડવા વિષે નહિ.