Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
જે તમે જાણો છો તે સાવ થોડુંક જ છે. જે તમે નથી જાણતા તે એક અસીમિત સંભાવના છે.
જો તમે તર્કની સીમાઓમાં બંધાઈને કામ કરો છો, તો તમે જીવનના સર્કસમાં એક જોકર બનીને રહેશો.
આ ગુરુ પૂર્ણિમાએ,પોતાને તમારા આંતરિક કલ્યાણ માટે સમર્પિત કરો. તમારી સાધના કરો, ધ્યાન કરો, અને તમારા મનને એક ચમત્કાર બનાવો.તમારા ગુરુની કૃપા તમારી સાથે છે.ખૂબ પ્રેમ અને આશીર્વાદ,
"મને નથી ખબર" એ એક જબરદસ્ત સંભાવના છે. જ્યારે તમે જુઓ કે "મને નથી ખબર" ત્યારે જ જાણવાની ઝંખના, ખોજ અને સંભાવનાનો જન્મ થાય છે.
એક વસ્તુ જેના માટે દરેક માણસ પ્રયાસ કરી શકે છે તે છે - આ દુનિયાને તમે આવ્યા હતા ત્યારે તે જેવી હતી તેના કરતાં થોડી વધારે સારી સ્થિતિમાં છોડવી.
સંપૂર્ણ અહોભાવની એક ક્ષણ તમારું આખું જીવન રૂપાંતરિત કરી શકે છે.
જો તમારું કામ કૈક એવું બનાવવા વિષે છે જેની તમને ખરેખર દરકાર છે, તો કામ અને જીવન વચ્ચે સંતુલન લાવવાની કોઈ જરૂર નથી - જીવન કામ છે અને કામ જીવન છે.
ખેતી સમૃદ્ધ માટી પર જ વિકસી શકે - તેનો બીજો કોઈ વિકલ્પ જ નથી. માટીમાં પ્રાણ ફૂંકવા એ જીવનને જીવંત બનાવવું છે.
તમારું જીવન તમે જે ભેગું કરો છો તેનાથી નહિ, પણ અનુભવની ગહનતાથી શાનદાર બને છે.
દુનિયામાં મોટાભાગના લોકો કામમાં નથી - તેઓ કોઈને કોઈ વસ્તુમાં અટવાયેલા છે.
સારા ઈરાદા પૂરતાં નથી. જરૂરી પરિણામ મેળવવા માટે યોગ્ય જાગરૂકતા સાથે કરાયેલ યોગ્ય કાર્યો જરૂરી છે.
જીવન એટલે સહભાગિતા. જ્યાં સહભાગિતા નથી, ત્યાં જીવન નથી.