Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
જરૂરી નથી કે લોકો સખત મહેનત કરે છે એટલે સફળ છે. તેઓ બસ એ કરે છે જે કામ કરે.
જો તમે તમારા મન, લાગણીઓ અને શરીરમાં પોતે ઈચ્છો તેવું વાતાવરણ બનાવી શકો, તો તમારા સ્વાસ્થ્ય, આનંદ અને સુખાકારીની સંભાળ લેવાઈ જશે.
તમને જે ગમે છે તેની સીમાઓમાં રહેવા કરતાં સીમાઓથી પરે જવું ઘણું વધારે અગત્યનું છે.
કોઈ કામ તણાવ વાળું નથી હોતું. તે તમારા શરીર, મન અને લાગણીઓને સંભાળવાની તમારી અક્ષમતા છે જે તેને તણાવ વાળું બનાવે છે.
પૂરતું ધ્યાન દેવાથી, કોઈ પણ વસ્તુમાં મહારત મેળવી શકાય છે.
જો તમે જીવનનો ગહન બોધ ઈચ્છતા હોવ તો, બીજા લોકોના તમારા અંગેના અભિપ્રાયોનું તમારા માટે કોઈ મહત્ત્વ ન હોવું જોઈએ.
જો તમે મુશ્કેલ સમયમાંથી પોતાની અંદર ગરિમા જાળવી રાખીને પસાર થઈ શકો, તો તમે જોશો કે આપણી સામે આવતી દરેક પરિસ્થિતિ આપણા જીવનને વિકસિત કરવાની એક તક છે.
ધ્યાન તમારા અસ્તિત્વની સુંદરતાને જાણવાનો એક રસ્તો છે.
શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પાસાંઓમાં યોગ ચમત્કારિક રીતે કામ કરે છે. બસ એક વાત છે કે તમારે તે કરવો પડશે.
If you want to know whether you are moving forward in life, just see if you are a little more joyful today than you were yesterday.
તમારી સાથે જે પણ થાય, કાં તો તમે તેને એક શ્રાપ તરીકે જોઈને તેનાથી પીડાય શકો છો, કાં તો તમે તેને એક આશીર્વાદ તરીકે જોઈને તેનો ઉપયોગ કરી શકો છો.
તમે કેટલું કામ કરો છો તે નહિ, પણ અનુભવની ગહનતા જીવનને સમૃદ્ધ અને તૃપ્ત બનાવે છે.