FILTERS:
SORT BY:
જેઓ ધરતી પર પોતાના પગલાંની ઊંડી છાપ છોડવા માંગે છે, તેઓ ક્યારેય ઉડાન નહિ ભરી શકે.
તમારું મન ધારદાર હોવું જોઈએ - નહિ તો તમે મજાકને નહિ સમજી શકો. જ્યારે તમે મજાક ન સમજી શકો, ત્યારે તમે મજાક બની જાઓ છો.
સ્વાસ્થ્ય ખાલી નિરોગી હોવું જ નથી - તે આંતરિક પૂર્ણતાનો એક ભાવ છે.
જ્યારે તમે કોઈને મળો, ત્યારે તમારો સૌથી મધુર અંશ જ તેમના સંપર્કમાં આવવો જોઈએ.
જો તમે કોઈ વ્યક્તિમાંથી ખુશી નિચોડવાનો પ્રયત્ન કરો, અને તેઓ તમારામાંથી ખુશી નિચોડવાનો પ્રયત્ન કરે, તો સમય જતાં સંબંધ પીડાદાયક બની જશે.
તમે એટલે સફળ થવા માંગો છે કેમ કે તમે ખુશ થવા માંગો છો. પણ જો તમે તમારા પોતાનામાં કેવી રીતે ખુશ થવું તે જાણતા હોવ, તો તમે હંમેશા સફળ છો.
સાધના ક્યારેય જીવનભર માટે ન કરો. સાધના બસ આજ માટે કરો.
જો તમે એક બુદ્ધિશાળી માણસ હોવ, તો તમને દરેક પગલે અચરજ થશે. બસ એક મૂર્ખ જ બધી વસ્તુઓ વિષે એકદમ નિશ્ચિત હોય છે.
જેમ કંઈક કરવું એ કર્મ છે, તેમ કંઈ ન કરવું એ પણ કર્મ છે.
તમે સમાજમાં ચતુર પણ જીવન સાથે એકદમ મૂર્ખ હોઈ શકો છો.
તેને સ્ટ્રેસ કહો, ચિંતા કહો કે ડિપ્રેશન કહો - મૂળભૂત રીતે, તમારી બુદ્ધિમત્તા જ તમારી વિરુદ્ધમાં થઈ ગઈ છે.
પોતાને દુઃખી કરવા એ એક અસહાય બાળકને દુઃખી કરવા જેવું છે. તમે પોતાની સાથે લડી કે પોતાનાથી ભાગી ન શકો - તમે રક્ષણ કરવામાં પૂરેપૂરાં અસમર્થ હોવ છો.