Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
સારા ઈરાદા પૂરતાં નથી. જરૂરી પરિણામ મેળવવા માટે યોગ્ય જાગરૂકતા સાથે કરાયેલ યોગ્ય કાર્યો જરૂરી છે.
જીવન એટલે સહભાગિતા. જ્યાં સહભાગિતા નથી, ત્યાં જીવન નથી.
જો ભરોસાની તમારી ધારણા એવી હોય કે બીજા લોકોએ તમારી અપેક્ષા મુજબ વર્તવું જોઈએ, તો તે ભરોસો નથી - તે ચાલાકી છે.
તમે તમારા મનને ચલાવતા હોવા જોઈએ - તમારું મન તમને ચલાવતું ન હોવું જોઈએ.
"મને નથી ખબર" એ એક જબરદસ્ત સંભાવના છે. જ્યારે તમે જુઓ કે "મને નથી ખબર" ત્યારે જ જાણવાની ઝંખના, ખોજ અને સંભાવનાનો જન્મ થાય છે.
હું ઈચ્છું છું કે તમે કોઈ વસ્તુ પર એકાગ્ર થયેલા હોવ, તે વસ્તુ ભલે જે પણ હોય. કેમ કે જો એક માણસ એકાગ્ર રહે છે, તો બ્રહ્માંડ તેને પરિણામ આપશે.
જે સૌથી વધારે મહત્ત્વનું છે તે તમારી અંદર છે.
આપણી પાસે જે પણ આવડત, ક્ષમતા અને પ્રતિભા હોય - તે બધું ત્યારે જ કામનું છે જ્યારે સંતુલન હોય.
ખેતી સમૃદ્ધ માટી પર જ વિકસી શકે - તેનો બીજો કોઈ વિકલ્પ જ નથી. માટીમાં પ્રાણ ફૂંકવા એ જીવનને જીવંત બનાવવું છે.
તમારા શરીરનો દરેક સૂક્ષ્મ કણ આખા બ્રહ્માંડ સાથે સતત લેણ-દેણમાં છે. તમે ખાલી એવું માનો છો કે તમે એક અલગ અસ્તિત્વ છો.
તમારા અનુભવની તીવ્રતા તમારી સંપત્તિની વિશાળતા કરતા વધુ મહત્ત્વની છે.
તમે અત્યારે ક્યાં છો તે વિષે જ્યારે તમને પૂરી સ્પષ્ટતા હોય, ત્યારે પછીના સ્તરનો અનુભવ પોતાને તમારી સામે પ્રગટ કરશે.