Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
તે મહત્ત્વનું છે કે તમે કોઈને આદરની દ્રષ્ટિએ કે હીનતાની દ્રષ્ટિએ ન જુઓ. બધી વસ્તુઓને તે જેમ છે તેમ જોવી એ સાચી દ્રષ્ટિ છે.
ખાલી તમારા ભૌતિક શરીરને જ સીમાની જરૂર છે. તમારા વિષેનું બીજું બધું અસીમિત હોઈ શકે.
બીજો દરેક જીવ ધરતી માતાની સુખાકારી માટે કામ કરી રહ્યો છે. બસ માણસો એ જ બદલવાની જરૂર છે.
તમારો જીવનનો અનુભવ તમારી આસપાસ કોણ છે કે શું છે તેના પર આધારિત નથી પણ તમે કેવા છો તેના પર આધારિત છે.
જીવન ત્યારે જ સુંદર છે જ્યારે તે સંતુલનમાં હોય.
સાધનની વાત હોય તો એક કમ્પ્યુટર, ગાડી કે અવકાશયાન નહિ, પણ માણસનું મન સૌથી જાદુઈ વસ્તુ છે - પણ જો તમે તેનો જાગરુક રીતે ઉપયોગ કરો તો જ.
રસ્તા પર આગળ વધવા માટે, તમને તમે ક્યાં જાઓ છો તેનું જ ધ્યાન રાખવું જોઈએ, તમે ક્યાંથી આવ્યા તેનું નહિ.
જો તમારે સફળતા જોઈતી હોય તો, પહેલી વસ્તુ એ સુનિશ્ચિત કરો કે તમે પોતે સફળતામાં અડચણ નથી બનતા.
જો તમારી માનવતા પૂરજોશમાં વહેતી હોય તો તમે તમારી આસપાસના જીવન તરફ તમારો હાથ લંબાવશો. આ નૈતિકતા નથી - આ માણસનો સ્વભાવ છે.
Karma means you are the maker of your life.
માણસો પોતાને બહુ વધારે મહત્ત્વ આપે છે. આપણે અહીં જે થઈ રહ્યું છે તેનો બસ એક નાનો ભાગ જ છીએ.
દુનિયા તમારા પર શું ફેંકે છે તે તમે નક્કી નથી કરી શકતા. પણ તમે તેમાંથી શું બનાવો છો તે સો ટકા તમારા હાથમાં છે. શ્રી રામ આનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે.