Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
જો તમે તમારા પોતાના શરીર અને મન, જે એકઠા કરેલા ખોરાક અને છાપોનો સંગ્રહ છે, તેની સાથેની ઓળખ છોડી દો, તો તમે અંદરની સ્થિરતાને જાણશો. ધ્યાનમય બનવા માટે બસ તેની જ જરૂર છે.
ધરતી પર માણસના શરીરથી મોટી કોઈ રાસાયણિક ફેક્ટરી નથી. જો તમે તેના એક સારા મેનેજર હોવ તો તમે તેની અંદર પરમાનંદનું રસાયણ બનાવી શકો છો.
વિજયાદશમી અસ્તિત્વના ત્રણ મૂળભૂત ગુણો એવા તમસ, રજસ અને સત્ત્વ પર વિજય મેળવવા વિષે છે. આ દિવસ તમારા માટે વિજયનો દિવસ બની રહે એવી કામના.
પ્રેમ કોઈક વિષે નથી. પ્રેમ એક કાર્ય નથી. પ્રેમ તમારા હોવાની રીત છે.
સમસ્યા જીવન સાથે નથી. સમસ્યા એ છે કે તમે તમારા મનનો હવાલો તમારા હાથમાં નથી લીધો.
અહીં આપણી હાજરી બસ ટૂંકા સમય માટે છે. આપણે એકબીજા સાથે લડીને તેને વધારે ટૂંકાવવાની જરૂરી નથી.
જો તમે પોતાના શરીર અને મન સહીત, તમારા બધા સાધનો પ્રત્યે આદર ભાવ રાખો, તો દરેક કામ એક આનંદપૂર્ણ અને સફળ પ્રક્રિયા બની રહેશે.
જે દેવીની કૃપા પ્રાપ્ત કરે છે તે જીવ ધન્ય છે. તમે એવું જીવન જીવશો જે તમારી કલ્પના, સામર્થ્ય અને યોગ્યતાથી ઘણું આગળ છે.
જ્યારે પણ તમે સમય જુઓ, ત્યારે યાદ કરો કે, જીવન ચાલ્યું જાય છે. આ જ સમય છે જે ખરેખર મહત્ત્વનું છે તેના પર ધ્યાન આપવાનો.
અહીં જીવવા સિવાય બીજું કંઈ કરવાનું નથી - તમારી પાસે એકમાત્ર પસંદગી એ છે કે છીછરી રીતે જીવવું કે ગહન રીતે.
જેમણે સુરક્ષિત હોવાની જરૂરિયાતને ગુમાવી દીધી છે બસ તેઓ જ ખરેખર સુરક્ષિત છે.
શરીર અને મન ગહન રીતે જોડાયેલા છે. જ્યારે શરીર સ્થિર થાય છે ત્યારે મન સ્વાભાવિક રીતે તેને અનુસરે છે.