Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
તમારી કોઈ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે કોઈ ફરજ નથી. જો તમારામાં પ્રેમ અને બીજાની પરવાહ હશે, તો તમે જે જરૂરી છે તે કરશો.
તમે જે પણ અજાગરૂક રીતે કરો છો, તે તમે જાગરૂક રીતે પણ કરી શકો છો. અજ્ઞાન અને આત્મજ્ઞાન વચ્ચે આ જ ફર્ક છે.
આપણને કોઈ સત્તાની સત્ય તરીકે જરૂર નથી. સત્ય પોતે જ એકમાત્ર સત્તા છે.
નિષ્કર્ષો તમને સ્પષ્ટતા વિના આત્મવિશ્વાસ આપે છે. સ્પષ્ટતા વગરનો આત્મવિશ્વાસ એક આફત છે.
મન ગાંડપણ છે. જ્યારે તમે મનથી પરે જશો ત્યારે જ ધ્યાન ઘટિત થશે.
માટી એક જીવંત અસ્તિત્વ છે - તે આપણી સંપત્તિ નથી. તે એક વારસો છે જે આપણને મળ્યો છે. આપણે તે વારસો ભવિષ્યની પેઢીઓને જીવંત માટીના રૂપમાં સોંપવાનો છે.
અસ્તિત્વ માનવ-કેન્દ્રિત નથી. તમે આ બ્રહ્માંડમાં એક નાનકડો કણ છો.
મારી ઈચ્છા અને આશીર્વાદ છે કે તમે બધા ધ્યાનલિંગને અનુભવો. તમે ભલે દુનિયામાં જ્યાં પણ હોવ, જો તમે સંભાવના પ્રત્યે ખુલ્લા છો, તો આધ્યાત્મિક મુક્તિનું બીજ તમારું છે.