FILTERS:
SORT BY:
જીવનની પ્રકૃતિ જ છે એક સંભાવનામાંથી બીજી સંભાવના તરફ આગળ વધવાની. પણ તમારું માનસિક માળખું જીવનની જગ્યાએ જાણીતી વસ્તુઓના આરામને પસંદ કરે છે.
હંમેશા ચડવા માટે એક વધારે પગથિયું હોય છે. એટલે જ જીવન જીવવા યોગ્ય છે.
જો તમારી બુદ્ધિમત્તા તમારા માટે કામ કરતી હોત, તો તમે પોતાને દુઃખી ન કરતાં હોત. તમારી અંદર તમે શ્રેષ્ઠ સ્થિતિનું નિર્માણ કરતાં હોત - બહાર, તમારાથી શક્ય તેટલું શ્રેષ્ઠ કરતાં હોત.
તમે જેટલી ગહન રીતે સામેલ થયેલા હોવ, જીવનનો અનુભવ તેટલો જ ગહન હોય છે.
ભલે તમારો ધર્મ, જાતિ કે વર્ણ ગમે તે હોય - જો તમે માણસ છો તો મહાશિવરાત્રિ તમારા માટે છે. અંદર તરફ વળવાનું વિજ્ઞાન તમારા માટે છે, કેમ કે માણસની સુખાકારીનું નિર્માણ અંદરથી થાય છે.
સંગીત જીવનની એક ખોજ અને જીવનને સમૃદ્ધ કરનાર હોવું જોઈએ. જો તે યાંત્રિક બની જાય, તો મશીનો તે કરવા લાગશે - મશીન યાંત્રિક વસ્તુ હંમેશા વધુ સારી રીતે કરી શકશે.
જીવનની પૂરેપૂરી ક્ષમતાને ઉજાગર કરવી એ તમે કેટલું લાંબું જીવો છો તેના કરતાં વધારે મહત્ત્વનું છે.
જ્યારે દુનિયામાં માહિતી બધા પાસે ઉપલબ્ધ છે ત્યારે, શિક્ષણ એક પ્રેરણા બનવું જોઈએ, માહિતીનો સંગ્રહ નહીં.
તમે જીવનથી નથી પીડાઈ રહ્યા. તમે તમારી સ્મૃતિ અને કલ્પનાથી પીડાઈ રહ્યા છો.
જો તમે તમારા માટે જે મહત્ત્વનું છે તેના પ્રત્યે ખરેખર સમર્પિત હોવ, તો આખી દુનિયા તમને સહાય કરશે.
આ દુનિયામાં આપણે કોણ છીએ તે સમય અને પરિસ્થિતિઓ પર આધારિત છે. પણ આપણી અંદર આપણે કેવા છીએ તે ક્યારેય તેમના પર આધારિત ન હોવું જોઈએ.
જીવનથી મોટો કોઈ હેતુ નથી.