Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
તમને જે ગમે છે તેની સીમાઓમાં રહેવા કરતાં સીમાઓથી પરે જવું ઘણું વધારે અગત્યનું છે.
કોઈ કામ તણાવ વાળું નથી હોતું. તે તમારા શરીર, મન અને લાગણીઓને સંભાળવાની તમારી અક્ષમતા છે જે તેને તણાવ વાળું બનાવે છે.
જીવન અને મૃત્યુ શ્વાસ અને ઉચ્છવાસ જેવા છે. બંને હંમેશા સાથે અસ્તિત્વમાં હોય છે.
જો તમે સર્જનનો એક અંશ છો, તો સર્જનહાર ચોક્કસ તમારી અંદર રહેલા છે. જાણવા માટે તમારે બસ અંદરની તરફ વળવાની જરૂર છે.
જો તમે મુશ્કેલ સમયમાંથી પોતાની અંદર ગરિમા જાળવી રાખીને પસાર થઈ શકો, તો તમે જોશો કે આપણી સામે આવતી દરેક પરિસ્થિતિ આપણા જીવનને વિકસિત કરવાની એક તક છે.
ધ્યાન તમારા અસ્તિત્વની સુંદરતાને જાણવાનો એક રસ્તો છે.
તમે જે પણ કરો, કાં તો તમે એ ઈચ્છુક રીતે કરી શકો, કાં તો તમે અનિચ્છા સાથે કરી શકો. જો તમે તે ઈચ્છુક રીતે કરો, તો તે સ્વર્ગ હશે. જો તમે તે અનિચ્છા સાથે કરો, તો તે નર્ક હશે.
સુખ આનંદનો એક પડછાયો માત્ર છે. જ્યારે તમારી અંદર કોઈ આનંદ ન હોય ત્યારે તમે એક સુખના ખોજી બનો છો.
તમારી સાથે જે પણ થાય, કાં તો તમે તેને એક શ્રાપ તરીકે જોઈને તેનાથી પીડાય શકો છો, કાં તો તમે તેને એક આશીર્વાદ તરીકે જોઈને તેનો ઉપયોગ કરી શકો છો.
તમે કેટલું કામ કરો છો તે નહિ, પણ અનુભવની ગહનતા જીવનને સમૃદ્ધ અને તૃપ્ત બનાવે છે.
આજે, મનુષ્ય ચેતનાને ઉપર ઉઠાવવી એ પહેલા ક્યારેય કરતાં વધારે મહત્ત્વનું છે, જેથી ટેક્નોલોજી સશક્તિકરણનું એક સાધન બને, વિનાશનું નહિ.
જો તમે તે બનાવી રહ્યા હોવ જે તમારા માટે ખરેખર મહત્ત્વનું છે, તો તમારું આખું જીવન એક વેકેશન છે.