Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
તમે શું કરો છો એ મુદ્દો નથી. તે તમારી અંદરનું ભાગીદારીનું સ્તર છે જે તમને રૂપાંતરિત કરે છે.
ધરતી પરનો દરેક જીવ તેનાથી શક્ય તેટલું શ્રેષ્ઠ કરી રહ્યો છે. ખાલી માણસો જ અચકાય છે...
અહીં સારી રીતે જીવવાનું અને આ જીવનથી પરે મુક્તિનું - બધી વસ્તુઓનું સમાધાન તમારી અંદર રહેલું છે.
એ જુઓ કે તમે કેટલો સમય જીવન નિર્વાહના પાસાંઓમાં અને કેટલો સમય સર્જનાત્મક પાસાંઓમાં વિતાવો છો. સમય પૈસા નથી - સમય જીવન છે.
તમારે આધ્યાત્મિક બનવા માટે પર્વતની ગુફામાં જવાની જરૂર નથી. આધ્યાત્મિક પ્રક્રિયાને બહાર સાથે કંઈ લેવા દેવા નથી - તે એવું કંઈક છે જે તમારી અંદર ઘટિત થાય છે.
જે વ્યક્તિ તમારી પાસે છે તેને પ્રેમ કરવો સૌથી મોટો પડકાર છે. જે અહીં નથી તેને પ્રેમ કરવો હંમેશા સહેલું હોય છે.
તમારી પાસે શારીરિક પીડામાં હોવા વિષે કોઈ પસંદગી નથી, પણ તમે દુઃખી ન થવાનું હંમેશા પસંદ કરી શકો છો.
માણસોને તેમનું ગાંડપણ છુપાવવા માટે મનોરંજનની જરૂર પડે છે. જો તેઓ પૂરેપૂરા સ્વસ્થ હોત, તો તેઓ બસ બેસીને એક ફૂલને ખીલતું જોઈ શકતા હોત.
ઈન્ટરનેટ દુનિયા વિષેની માહિતી મેળવવા માટે ઠીક છે. પણ જીવનને જાણવા અને અનુભવવા માટે તમારે અંદરના નેટ એટલે કે ઈનર-નેટની જરૂર છે જે જીવનને એક ગહન અનુભવ તરીકે જોઈ શકે.
અસ્તિત્વમાં એવું કંઈ નથી જે આધ્યાત્મિક ન હોય. બધું જ આધ્યાત્મિક છે, પણ તે હજી અનુભવમાં નથી આવ્યું.
યોગનો આધાર છે એકસાથે પૂરેપૂરા તીવ્ર અને સહજ હોવું.
આધ્યાત્મિક પ્રક્રિયાનું મૂળ છે બધી માન્યતાઓને છોડવી: 'હું જે જાણું છું, તે જાણું છું. હું જે નથી જાણતો, તે નથી જાણતો.'