FILTERS:
SORT BY:
તેમના મગજમાં કોઈ પ્રકારની સ્પષ્ટતા વગર લોકો બહુ વધારે આત્મવિશ્વાસથી ભરેલા છે. આ એક આફત છે.
જ્યારે તમારું હૃદય છલકાતું હોય અને તમારું મન તમારા પોતાનાથી મુક્ત હોય, ત્યારે તમારા પગ ઝૂમશે.
પતિ કે પત્ની કોઈ મંજિલ નથી પણ એક સહયાત્રી છે.
શરીર બસ ધરતીનો એક ટુકડો છે. સ્વસ્થ પૃથ્વી વગર સારું જીવન શક્ય નથી.
આજના દિવસે ગૌતમ બુદ્ધને એ સાક્ષાત્કાર થયો કે સત્ય તરફ જવાનું નથી. જો તમે ઉપલબ્ધ થાઓ, તો સત્ય અહીં જ છે.
તમે હજાર વર્ષ જીવો, તો પણ માનવીય કલ્પનાઓ અને આકાંક્ષાઓ પૂરી નથી થઈ શકતી. તો ચાલે આપણે અસફળતામાં આનંદથી રહીએ.
પોતાને બચાવવા માટે જે દીવાલો તમે તમારી આસપાસ બાંધો છો તે સમય જતા તમારી કેદની દીવાલો બની જાય છે.
વિશ્વાસનો મતલબ એવો નથી કે બીજાએ તમારી અપેક્ષા મુજબ વસ્તુઓ કરવી પડે. વિશ્વાસનો મતલબ છે જાગરૂક રીતે પોતાને અસુરક્ષિત બનાવવા.
કોઈને ખુશ કરવાનો પ્રયત્ન ન કરો. જો તમે ખરેખર આનંદિત હોવ અને માનવતાથી છલકાતાં હોવ, તો તમે બધા સાથે ઠીક હશો.
અપરાધભાવ સમાજે પેદા કરેલી ભાવના છે - એક એવું ઝેર છે જેનો ઉપયોગ તમે પોતાની વિરુદ્ધમાં કરો છો.
જ્યારે તમે તમારી સ્મૃતિની અંદર જીવો છો, ત્યારે તમે તે નથી જોઈ શકતાં જે તમારી સાવ સામે જ છે.
જો એકની એક સમસ્યા વારંવાર સામે આવે તો તેનો અર્થ છે કે તમે પોતે જ સમસ્યા છો.