Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
બુદ્ધિથી તમે શીખો છો કે જીવન-નિર્વાહ કેવી રીતે કરવો. ભક્તિથી તમે જાણો છો કે પોતાને એક જીવન કઈ રીતે બનાવવા.
દુઃખ અને આનંદ બંનેનું નિર્માણ તમારા મનમાં થાય છે.
તમે જે પણ અજાગરૂક રીતે કરો છો, તે તમે જાગરૂક રીતે પણ કરી શકો છો. અજ્ઞાન અને આત્મજ્ઞાન વચ્ચે આ જ ફર્ક છે.
ધ્યાન કોઈ કાર્ય નથી - તે એવું છે જાણે એક ફૂલ ખીલીને સુગંધ પ્રસરાવે.
યોગનો અર્થ છે બ્રહ્માંડ સાથે એકત્વ અનુભવવા માટે તમારા વ્યક્તિત્વની સીમાઓનો નાશ કરવો.
એકવાર તમારા વિચારો અને લાગણીઓ જાગરૂક બને, પછી તમે એક શાનદાર જીવનનું નિર્માણ કરી શકો છો.
તમારી કોઈ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે કોઈ ફરજ નથી. જો તમારામાં પ્રેમ અને બીજાની પરવાહ હશે, તો તમે જે જરૂરી છે તે કરશો.
આપણને કોઈ સત્તાની સત્ય તરીકે જરૂર નથી. સત્ય પોતે જ એકમાત્ર સત્તા છે.