Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
જ્યારે તમારા માટે સૌથી મોટી સત્તા તમારી અંદર રહેલો જીવનનો સ્ત્રોત હોય, ત્યારે આસપાસના લોકોના અભિપ્રાયો અને નિષ્કર્ષોનું મહત્ત્વ નથી રહેતું.
જેણે પોતાની અંદરની સ્થિરતાને સ્પર્શ નથી કર્યો તે ગતિવિધિમાં ખોવાઈ જશે.
આસ્તિક અને નાસ્તિક બંને એક જ હોડીમાં સવાર છે. એક સકારાત્મક રીતે માને છે, બીજો નકારાત્મક રીતે. બંને એ સ્વીકારવા તૈયાર નથી કે તેઓ નથી જાણતા.
તમે જે મેળવો છો, તેનાથી તમે બસ આજીવિકા કમાઈ શકો છો. તમે જે આપો છો બસ તેનાથી જ તમે જીવન બનાવી શકો છો.
જ્ઞાન મેળવી શકાય છે. "જાણવું" એ એક સાક્ષાત્કાર છે. સમજદારી તમારે કમાવી પડે છે, અને તેમાં એક આખું જીવન લાગી જાય છે.
તમારા વિચારો બસ જૂની માહિતીનું રિસાયક્લિંગ એટલે કે પુનરાવર્તન છે. ત્યાં ક્યારેય કંઈક ખરેખર નવું ઘટિત ન થઈ શકે.
જો તમને લાગતું હોય કે તમારું કામ મહત્ત્વનું છે, તો એ ખૂબ જ મહત્ત્વનું છે કે તમે તમારા પોતાના પર કામ કરો.
તમે એકલતા એટલે નથી અનુભવતા કે કોઈ તમારી સાથે નથી. તમે એકલતા એટલે અનુભવો છો કેમ કે તમે તમારી આસપાસની બધી વસ્તુઓનો અસ્વીકાર કરો છો.
તમારું જીવન ત્યારે સુંદર બને છે જ્યારે તમે પોતાને પૂરેપૂરા ઝોંકી દો છો અને શું મળે છે કે નથી મળતું તેની પરવાહ નથી કરતા. જીવનનો આનંદ અભિવ્યક્તિમાં છે, માંગવામાં નહિ.
મુશ્કેલી એક પરિસ્થિતિ છે જેમાંથી આપણે પસાર થઈએ છીએ. દુઃખ એક માનસિક અવસ્થા છે જેને આપણે પોતે બનાવીએ છીએ.
જે પણ હું જાણું છું, જે પણ મારા ગુરુ જાણતા હતા, અને જે પણ આખી આધ્યાત્મિક પરંપરા જાણતી હતી, તે બધું જ ધ્યાનલિંગમાં ઊર્જાના સ્વરૂપમાં રહેલું છે. હું બસ એક પરિણામ છું.
યોગ "મહામાનવ" બનવા વિષે નથી. તે એ જાણવા વિષે છે કે માણસ હોવું જ મહાન છે.