Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
જે દેવીની કૃપા પ્રાપ્ત કરે છે તે જીવ ધન્ય છે. તમે એવું જીવન જીવશો જે તમારી કલ્પના, સામર્થ્ય અને યોગ્યતાથી ઘણું આગળ છે.
સ્ત્રી ગુણ જીવનનું એક શક્તિશાળી પરિમાણ છે. સ્ત્રી ગુણની ઊર્જા કે શક્તિ વિના, અસ્તિત્વમાં કોઈ જ વસ્તુ હોય ન શકે.
નવરાત્રિ પ્રત્યેનો શ્રેષ્ઠ અભિગમ છે ઉજવણીની ભાવના. જીવનનું રહસ્ય આ છે: ગંભીર થયા વિના પૂરેપૂરી રીતે ભાગ લેવો.
ધરતી પર અડગ રીતે ઊભું રહેવું અને છતાં પણ હાથ લંબાવીને આકાશને સ્પર્શવું એ જ આધ્યાત્મિક પ્રક્રિયાનો સાર છે.
શરીર અને મન ગહન રીતે જોડાયેલા છે. જ્યારે શરીર સ્થિર થાય છે ત્યારે મન સ્વાભાવિક રીતે તેને અનુસરે છે.
માણસ હોવાનો મતલબ છે કહેવાતા પ્રકૃતિના નિયમોથી પરે જવાની ક્ષમતા ધરાવવી અને કૈક એવું કરી બતાવવું જે આપણા કરતાં વિશાળ છે.
તમારા પૂર્વજોને એક સીડી બનાવો, એક જાળ નહિ. મહાલયા અમાસ તે સંભાવનાનું નિર્માણ કરે છે.
કોઈ પણ વ્યક્તિ વિષે ક્યારેય કોઈ અભિપ્રાય ન બનાવો. તેઓ આ ક્ષણે કેવા છે તે જ મહત્ત્વનું છે.
ડર એ અજાગરૂક હોવાનું પરિણામ છે. ડરમાં હોવું એ આપણને બચાવતું નથી. બસ જાગરૂક રહીને જ આપણે ખરેખર જીવનનું નિર્માણ કરી શકીએ.
આત્મજ્ઞાન પ્રકાશ વિષે નથી - તે પ્રકાશ અને અંધકારથી પરેની એક દ્રષ્ટિ વિષે છે.
ભલે તમને ગમે કે નહિ, જીવન તમારી પાસે બધા પ્રકારનાં સર્કસ, જગલિંગ અને કસરતો કરાવશે. જો તમે તે માટે તૈયાર થયેલા હશો, તો તમે તે આનંદિત રીતે કરી શકશો.
સુખ અને શાંતિના મૂળ ન તો બજારમાં છે અને ન તો જંગલમાં, પણ આપણી અંદર છે.