Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
ખુદ તમે જ જીવનને જાણવાનો એકમાત્ર દરવાજો છો, તેને ખુલ્લો રાખો.
માણસ કોઈ સાધન કે વસ્તુ નથી. માણસ એક મહાન સંભાવના છે. યોગ્ય સારસંભાળથી તેઓ એક ખાસ વ્યક્તિમાં ખીલી ઉઠશે.
તે મહત્ત્વનું છે કે તમે કોઈને આદરની દ્રષ્ટિએ કે હીનતાની દ્રષ્ટિએ ન જુઓ. બધી વસ્તુઓને તે જેમ છે તેમ જોવી એ સાચી દ્રષ્ટિ છે.
ખાલી તમારા ભૌતિક શરીરને જ સીમાની જરૂર છે. તમારા વિષેનું બીજું બધું અસીમિત હોઈ શકે.
તમે ભૂતકાળ કે ભવિષ્યથી પીડાઈ ન શકો કેમ કે તેમનું અસ્તિત્વ જ નથી. તમે જેનાથી પીડાઈ રહ્યા છો તે તમારી યાદશક્તિ અને તમારી કલ્પના છે.
તમારી અંદરનું જીવન તમારા શરીર, મન અને લાગણીઓની સેવા માટે નથી. શરીર, મન અને લાગણીઓ જીવનની સેવા માટે છે.
જીવન ત્યારે જ સુંદર છે જ્યારે તે સંતુલનમાં હોય.
સાધનની વાત હોય તો એક કમ્પ્યુટર, ગાડી કે અવકાશયાન નહિ, પણ માણસનું મન સૌથી જાદુઈ વસ્તુ છે - પણ જો તમે તેનો જાગરુક રીતે ઉપયોગ કરો તો જ.
ધ્યાન ન તો એકાગ્રતા છે ન આરામ. તે ઘરે પાછા ફરવા જેવું છે.
બધી વસ્તુઓને તે જેમ છે તેમ જોવી એ તમને જીવનમાંથી સહજતાથી પસાર થવાની શક્તિ અને ક્ષમતા આપે છે.
જો તમારી માનવતા પૂરજોશમાં વહેતી હોય તો તમે તમારી આસપાસના જીવન તરફ તમારો હાથ લંબાવશો. આ નૈતિકતા નથી - આ માણસનો સ્વભાવ છે.
Karma means you are the maker of your life.