Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
ભલે તમને ગમે કે નહિ, જીવન તમારી પાસે બધા પ્રકારનાં સર્કસ, જગલિંગ અને કસરતો કરાવશે. જો તમે તે માટે તૈયાર થયેલા હશો, તો તમે તે આનંદિત રીતે કરી શકશો.
સુખ અને શાંતિના મૂળ ન તો બજારમાં છે અને ન તો જંગલમાં, પણ આપણી અંદર છે.
તમારું બાળક સારી રીતે મોટું થાય તે માટે તમારે અત્યંત બુદ્ધિશાળી હોવાની જરૂર નથી. તમારે બસ આનંદિત, પ્રેમાળ અને પ્રામાણિક હોવાની જરૂર છે.
You do not have to be better than everyone else, but you have to be at Your Best.
ધરતી પર અડગ રીતે ઊભું રહેવું અને છતાં પણ હાથ લંબાવીને આકાશને સ્પર્શવું એ જ આધ્યાત્મિક પ્રક્રિયાનો સાર છે.
ભલે તે સહેલું હોય કે અઘરું - તમે જ્યાં જવા માંગો છો તેના પરથી ક્યારેય ધ્યાન ભટકવા ન દો.
નિયંત્રણ એટલે કોઈ વસ્તુને અમુક સીમાની અંદર પૂરી રાખવી. તમારા મનને નિયંત્રિત ન કરો - તેને મુક્ત કરો.
એકવાર તમને બીજાએ શું કરવું જોઈએ તે વિષેની કોઈ અપેક્ષા ન હોય, પછી તમારો સંબંધ સફળ હશે.
કોઈ પણ વ્યક્તિ વિષે ક્યારેય કોઈ અભિપ્રાય ન બનાવો. તેઓ આ ક્ષણે કેવા છે તે જ મહત્ત્વનું છે.
કર્મ ન તો સારા છે, ન તો ખરાબ. તે તમને આ શરીર સાથે જોડી રાખતું ગુંદ છે. જે ક્ષણે તમે તમારા બધા કર્મ ધોઈ નાખો, ત્યારે તમે ચાલ્યા જશો.
True Compassion is not about giving and taking. It is about doing what is needed.
કંટાળો જીવન સાથેના સમાવેશના અભાવથી આવે છે. તમે તમારા પોતાના વિચારો અને લાગણીઓમાં ખોવાયેલા છો.