Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
દુનિયા તમારા પર શું ફેંકે છે તે તમે નક્કી નથી કરી શકતા. પણ તમે તેમાંથી શું બનાવો છો તે સો ટકા તમારા હાથમાં છે. શ્રી રામ આનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે.
દુનિયામાં અસરકારક રીતે કામ કરવા માટે જરૂરી મુખ્ય વસ્તુ જ્ઞાન નથી, પણ બોધની સ્પષ્ટતા છે.
જીવન અને મૃત્યુની પરે તમે સાથે લઈ જઈ શકો તેવી એકમાત્ર સાચી મિલકત અનુભવની ગહનતા છે.
લોકોનો ઉપયોગ કરવો અને વસ્તુઓને પ્રેમ કરવો - આ જીવનની પૂરેપૂરી ગેરસમજ છે. વસ્તુઓ ઉપયોગ કરવા માટે છે. લોકો પ્રેમ કરવા માટે છે.
તમે દુનિયા માટે જે શ્રેષ્ઠ વસ્તુ કરી શકો છો તે છે એક ખુશહાલ અને આનંદિત મનુષ્ય હોવું.
એકવાર તમે પીડાના ડરને ઓળંગી જાઓ પછી તમે સ્વાભાવિક રીતે જીવનને તેની સમગ્રતામાં ખોજશો.
યોગિક અભ્યાસો અને ધ્યાનનો સમગ્ર પ્રયાસ એક ઉચ્ચતર સ્તરની જીવંતતા અને જાગરૂકતા સુધી પહોંચવાનો છે.
સ્વાસ્થ્ય ફક્ત રોગની ગેરહાજરી જ નથી પણ એક પૂર્ણતા છે જેમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારીનો સમાવેશ થાય છે.
તમે જે નથી જાણતા તેના વિષે ધારણાઓ બાંધવી એ અજ્ઞાની રહેવાનો પાક્કો રસ્તો છે.
માણસ હોવાનો અર્થ છે દરેક જીવ પ્રત્યે હેતની ભાવના સાથે જોવા સક્ષમ હોવું.
તમને ન ગમતી વસ્તુઓ સાથે આનંદપૂર્વક જીવતા શીખવું એ જીવનનો એક મોટો બોધપાઠ છે.
તેને અપરાધભાવ, ડર, ગુસ્સો કે નફરત કહો - મૂળભૂત રીતે, તેનો અર્થ એ છે કે તમારા વિચારો અને લાગણીઓ તમારી વિરુદ્ધ કામ કરી રહ્યા છે.