Main Centers
International Centers
India
USA
Sadhguru Quotes
FILTERS:
SORT BY:
Clear All
જો તમે માનવતાથી છલકાઈ ઉઠો, તો દિવ્યતા અવતરે છે.
વાત એ નથી કે ભગવાન કે બીજું કોઈ તમને પ્રેમ કરે છે. જો તમે પ્રેમાળ હોવ, તો તે તમારા જીવનને ખૂબ જ મીઠું બનાવે છે.
ગુસ્સો કોઈ ક્રિયા નથી - તે પ્રતિક્રિયા છે. પ્રતિક્રિયાની અવસ્થા એક ગુલામીની અવસ્થા છે.
સૌથી વધારે ટકાઉ તાકાત છે પોતાની અંદરની તાકાતને જાણવી.
આધ્યાત્મિક માર્ગ પર, સૌથી પહેલી વસ્તુ અનુભવના સ્તરે તે સુનિશ્ચિત કરવું છે કે તમે અત્યારે ક્યાં છો. તમે પોતે જ્યાં હોવ ત્યાંથી જ યાત્રા શરુ કરી શકો છો.
જો આપણે બધા બદલવા માટે રાજી ન હોઈએ તો દુનિયામાં કંઇ નહિ બદલાય.
યોગનો અર્થ છે જોડાણ; એટલે કે, તમારા અનુભવમાં, તમે અને અસ્તિત્વ એક જ છો.
તમારા જીવનમાં જે થાય તે બધું જ તમને વધુ સમૃદ્ધ બનાવી શકે છે, પણ જો તમે તેને અમુક જાગરુકતા સાથે સંભાળો તો જ.
આનંદ જીવન માટેનો સૌથી મોટો વીમો છે.
જો તમારો બોધ તમારી પાંચ ઇન્દ્રિયોની સીમાઓને ઓળંગે તો તમે આધ્યાત્મિક છો.
જો તમે એક આનંદનો સ્ત્રોત બની જાઓ તો તમારા સંબંધો શાનદાર હશે.
ઘણા વર્ષો દરમિયાન, ઈશા ખાતે મહાશિવરાત્રિ ચેતનાનો એક મહોત્સવ બની ગઈ છે. અંદરની તરફ વળીને જ આપણે એક પ્રેમ, પ્રકાશ અને હાસ્ય ભરેલી દુનિયાનું નિર્માણ કરી શકીએ. ચાલો આ કરી બતાવીએ.