FILTERS:
SORT BY:
Clear All
જો તમે કોણ છે તે તમારી અંદર સ્પષ્ટ રીતે સ્થાપિત હોય, તો લોકો શું કહે છે તેનું મહત્ત્વ નહિ રહે.
પ્રેમ કોઈકને તમારા એક ભાગ તરીકે સમાવવાની એક ઝંખના છે - તે તમે જે છો તેની સીમાઓને તમારા પોતાનાથી આગળ વધારવા વિષે છે.
તમે જીવનથી નથી પીડાઈ રહ્યા. તમે તમારી સ્મૃતિ અને કલ્પનાથી પીડાઈ રહ્યા છો.
જો તમે તમારા માટે જે મહત્ત્વનું છે તેના પ્રત્યે ખરેખર સમર્પિત હોવ, તો આખી દુનિયા તમને સહાય કરશે.
આપણે કદાચ આપણી આસપાસની પરિસ્થિતિઓને હંમેશા બદલી ન શકીએ. પણ આપણે તેને જે રીતે અનુભવીએ છીએ તેને બદલવામાંથી આપણને કોઈ રોકી ન શકે.
જીવનની પ્રકૃતિ જ છે એક સંભાવનામાંથી બીજી સંભાવના તરફ આગળ વધવાની. પણ તમારું માનસિક માળખું જીવનની જગ્યાએ જાણીતી વસ્તુઓના આરામને પસંદ કરે છે.
હંમેશા ચડવા માટે એક વધારે પગથિયું હોય છે. એટલે જ જીવન જીવવા યોગ્ય છે.
જો તમારી બુદ્ધિમત્તા તમારા માટે કામ કરતી હોત, તો તમે પોતાને દુઃખી ન કરતાં હોત. તમારી અંદર તમે શ્રેષ્ઠ સ્થિતિનું નિર્માણ કરતાં હોત - બહાર, તમારાથી શક્ય તેટલું શ્રેષ્ઠ કરતાં હોત.
ભલે તે ગીત હોય, નૃત્ય હોય, કે કામ હોય - જો તમે પોતાને તેમાં પૂરેપૂરી બેફિકરીથી ઝોંકી દો, તો તમારું જીવન શાનદાર બની જશે.
ભલે તમારો ધર્મ, જાતિ કે વર્ણ ગમે તે હોય - જો તમે માણસ છો તો મહાશિવરાત્રિ તમારા માટે છે. અંદર તરફ વળવાનું વિજ્ઞાન તમારા માટે છે, કેમ કે માણસની સુખાકારીનું નિર્માણ અંદરથી થાય છે.
સંગીત જીવનની એક ખોજ અને જીવનને સમૃદ્ધ કરનાર હોવું જોઈએ. જો તે યાંત્રિક બની જાય, તો મશીનો તે કરવા લાગશે - મશીન યાંત્રિક વસ્તુ હંમેશા વધુ સારી રીતે કરી શકશે.
જીવનની પૂરેપૂરી ક્ષમતાને ઉજાગર કરવી એ તમે કેટલું લાંબું જીવો છો તેના કરતાં વધારે મહત્ત્વનું છે.