Main Centers
International Centers
India
USA
Sadhguru Quotes
FILTERS:
SORT BY:
Clear All
આ શરીર બસ ધરતી માતા પાસેથી લીધેલી એક લોન જ છે. એક દિવસ તમારે આ લોન ચૂકવવી પડશે.
જો અજ્ઞાનતામાં આનંદ હોત, તો અત્યાર સુધીમાં આખી દુનિયા પરમ આનંદમાં આવી ગઈ હોત.
જે લોકો પોતાના પગલાંની છાપ છોડવા માંગે છે તેઓ ક્યારેય ઉડી નહિ શકે.
જેવા તમે કોઈ વસ્તુને પસંદ કે નાપસંદ કરો છે, તેની સાથે જ તમે તે વસ્તુને જેવી છે તેવી નથી જોઈ શકતા.
તમે યોગનો ઉપયોગ પીઠનો દુઃખાવો દૂર કરવા કે એકાગ્રતા વધારવા અને માનસિક શાંતિ માટે કરી શકો છો - અથવા તમે તેનો ઉપયોગ દિવ્યતા સુધી પહોંચવાની સીડી તરીકે કરી શકો છો.
પ્રેમ એવું કશુંક નથી જે તમે કરો છો - તે એવું કશુંક છે જે તમે બની શકો છો.
લાગણી જીવનનો રસ છે. જ્યારે તે બેકાબુ થઈ જાય ત્યારે તે ગાંડપણ બની જાય છે.
જો તમે તમારું ભાગ્ય પોતાના હાથમાં લેવા માંગતા હોવ તો પહેલું કામ એ કરવાનું છે કે તમારા શરીર અને મનનો હવાલો તમારા હાથમાં લેવો.
આધ્યાત્મિક પ્રક્રિયા એક યાત્રા જેવી છે - સતત પરિવર્તન. હંમેશા કોઈ નવી જગ્યા.
ગુરુ પૂર્ણિમા બસ એક ઉજવણી નથી - તે વિકસિત થવાની પ્રતિબદ્ધતા છે. તમે તમારા જીવનને કેવી રીતે અનુભવો છો તે તમે નક્કી કરો છો.તમે પરમ મુક્તિને જાણો તેવી કામના. ગુરુની કૃપા તમારા ઉપર છે.પ્રેમ અને આશીર્વાદ,
સંભાવના અને વાસ્તિવકતા વચ્ચે એક અંતર છે. શું તમારી પાસે આ અંતર કાપવાની હિંમત અને પ્રતિબદ્ધતા છે?
અસ્તિત્વમાં એકત્વ અને બધા જીવોમાં ખાસિયત રહેલી છે. આધ્યાત્મનો સાર આને ઓળખવા અને માણવામાં છે.