Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
જો તમે દરેક જીવને દિવ્ય તરીકે જોઈ શકો, તો ધરતી સ્વર્ગ છે. તમારે કેવી રીતે ધ્યાન કરવું તે જાણવાની જરૂર નથી. પૂરેપૂરી ભાગીદારીમાં, બધું જ ધ્યાન છે.
એક સાચા ખોજીને હંમેશા તેના ગુરુ મળી જશે.
ધ્યાન કોઈ કાર્ય નથી - તે એવું છે જાણે એક ફૂલ ખીલીને સુગંધ પ્રસરાવે.
યોગનો અર્થ છે બ્રહ્માંડ સાથે એકત્વ અનુભવવા માટે તમારા વ્યક્તિત્વની સીમાઓનો નાશ કરવો.
વિચાર આધારિત જ્ઞાન એ વિદ્વાનોનો રસ્તો છો. પ્રત્યક્ષ બોધ એક યોગીનો રસ્તો છે.
જો તમે ભાવનાઓમાં ઘર્ષણ ઉત્પન્ન કરો, તો તમે ઘૃણા બની જાઓ છો. જો તમે ભાવનાઓમાં કૃપાનું નિર્માણ કરો, તો તમે પ્રેમ બની જાઓ છો.
એકવાર તમારા વિચારો અને લાગણીઓ જાગરૂક બને, પછી તમે એક શાનદાર જીવનનું નિર્માણ કરી શકો છો.
તમારી કોઈ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે કોઈ ફરજ નથી. જો તમારામાં પ્રેમ અને બીજાની પરવાહ હશે, તો તમે જે જરૂરી છે તે કરશો.
જો તમે જીવન પ્રત્યે એક પૂરેપૂરી હા બની જાઓ, તો તમે તીવ્ર બની જશો. તે તીવ્રતામાં, તમે તમારી પૂરી ક્ષમતાએ હશો.
બુદ્ધિથી તમે શીખો છો કે જીવન-નિર્વાહ કેવી રીતે કરવો. ભક્તિથી તમે જાણો છો કે પોતાને એક જીવન કઈ રીતે બનાવવા.
દુઃખ અને આનંદ બંનેનું નિર્માણ તમારા મનમાં થાય છે.
તમે જે પણ અજાગરૂક રીતે કરો છો, તે તમે જાગરૂક રીતે પણ કરી શકો છો. અજ્ઞાન અને આત્મજ્ઞાન વચ્ચે આ જ ફર્ક છે.