Wisdom
FILTERS:
SORT BY:
જો તમે પોતાને પરિપૂર્ણ કરવાના દરેક શક્ય પ્રયાસો કર્યા હોય અને તમે જોયું હોય કે કંઇ પણ ખરેખર કામ કરતું નથી, તો તેનો અર્થ છે કે તમે આ સ્થિતિમાં આવી ગયા છો: "અને હવે, યોગ."
વિચારો અને ભાવનાઓ બે અલગ અલગ વસ્તુઓ નથી. તમે જેવું વિચારો છો તેવું જ અનુભવો છો.
જ્યાં સુધી આપણે ધર્મ, વંશ, જાતિ, લિંગ અને રાષ્ટ્રીયતાના નામે વિભાજીત રહીએ ત્યાં સુધી માનવતાની સાચી સફળતા શક્ય નથી.
Devotion is not a dissection of Life, but a total Embrace.
પરંપરા પાછળની પેઢીઓને અનુસરવા વિષે નથી. તે તેમના અનુભવમાંથી શીખવા વિષે છે.
દરેક મનુષ્યની અંદર એક ચોક્કસ પ્રતિભા રહેલી છે; પરંતુ મોટાભાગે તેઓ બીજાની જેવા થવામાં તેનો નાશ કરી નાખે છે.
તમે પ્રેમમાં ઉભા ન રહી શકો, તમે પ્રેમમાં ઊંચે ન ચડી શકો, તમે પ્રેમમાં ઉડી ન શકો - તમે પ્રેમમાં ખાલી પડી જ શકો. તે ઉપરની તરફ પડવાની એક રીત છે.
મારા આશીર્વાદ છે કે, 'તમારા સપનાં પૂરા ન થાય', કેમ કે તમારી અપેક્ષાઓ જીવનની સીમિત સમજમાંથી જન્મે છે. તમે તમારા સપનાંથી પરે ઉઠીને જીવો તેવી કામના.
તમે જેટલી વધુ સુરક્ષા ખોજશો તેટલાં જ વધુ અસુરક્ષિત બની જશો. સાચી સુરક્ષા માત્ર બેફિકર સ્થિતિમાં જ રહેલી છે.
જાણકારી, જ્ઞાન અને બુદ્ધિમત્તામાં અંતર છે. જાણકારી મેળવી શકાય છે, જ્ઞાન એક બોધ છે અને બુદ્ધિમત્તા અર્જિત કરવી પડે છે.
બધા જ સાધક છે; અમુક જલ્દી બાંધછોડ કરી લે છે, અમુક લાગ્યા રહે છે.
માત્ર જેઓ પૂરેપૂરી રીતે જીવ્યા છે તે લોકો જ શાલીનતાથી મરી શકે છે.