Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
માણસો પોતાને બહુ વધારે મહત્ત્વ આપે છે. આપણે અહીં જે થઈ રહ્યું છે તેનો બસ એક નાનો ભાગ જ છીએ.
દુનિયા તમારા પર શું ફેંકે છે તે તમે નક્કી નથી કરી શકતા. પણ તમે તેમાંથી શું બનાવો છો તે સો ટકા તમારા હાથમાં છે. શ્રી રામ આનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે.
દુનિયામાં અસરકારક રીતે કામ કરવા માટે જરૂરી મુખ્ય વસ્તુ જ્ઞાન નથી, પણ બોધની સ્પષ્ટતા છે.
જીવન અને મૃત્યુની પરે તમે સાથે લઈ જઈ શકો તેવી એકમાત્ર સાચી મિલકત અનુભવની ગહનતા છે.
તમારો જીવનનો અનુભવ તમારી આસપાસ કોણ છે કે શું છે તેના પર આધારિત નથી પણ તમે કેવા છો તેના પર આધારિત છે.
તમે દુનિયા માટે જે શ્રેષ્ઠ વસ્તુ કરી શકો છો તે છે એક ખુશહાલ અને આનંદિત મનુષ્ય હોવું.
એકવાર તમે પીડાના ડરને ઓળંગી જાઓ પછી તમે સ્વાભાવિક રીતે જીવનને તેની સમગ્રતામાં ખોજશો.
યોગિક અભ્યાસો અને ધ્યાનનો સમગ્ર પ્રયાસ એક ઉચ્ચતર સ્તરની જીવંતતા અને જાગરૂકતા સુધી પહોંચવાનો છે.
જો તમારે સફળતા જોઈતી હોય તો, પહેલી વસ્તુ એ સુનિશ્ચિત કરો કે તમે પોતે સફળતામાં અડચણ નથી બનતા.
તમે જે નથી જાણતા તેના વિષે ધારણાઓ બાંધવી એ અજ્ઞાની રહેવાનો પાક્કો રસ્તો છે.
માણસ હોવાનો અર્થ છે દરેક જીવ પ્રત્યે હેતની ભાવના સાથે જોવા સક્ષમ હોવું.
તમને ન ગમતી વસ્તુઓ સાથે આનંદપૂર્વક જીવતા શીખવું એ જીવનનો એક મોટો બોધપાઠ છે.