તંત્ર એક યોગ છે-સેક્સ કે દારૂ નહીં
ઘણા બધા ખોટા અર્થઘટન, ખાસ કરીને વેસ્ટમાં, તંત્રને બિનરૂકાવટી સેક્સના અર્થમાં રજૂ કરવામાં આવ્યા છે. સદ્દગુરૂ સ્પષ્ટ કરે છે કે તંત્ર ખરેખર શું છે અને તે શું નથી.
એક સાધક સદ્દગુરૂને પૂછે છે, “તંત્ર શું છે ?” સદ્દગુરૂ તાંત્રિક પરંપરાને જુએ છે અને સમજાવે છે કે ગુરૂ-
શિષ્યનો સંબંધ ચોક્કસપણે કેવી રીતે ઓર્ગેસ્મિક હોઇ શકે છે, પરંતુ સેક્ષુઅલ નથી.
પ્રશ્ન : તંત્ર ખરેખર શું છે ? એવું કહેવાય છે કે તાંત્રિક પરંપરામાં, જ્યારે ગુરૂ અને શિષ્ય વચ્ચેનો સંબંધ
ઘનિષ્ટ અને પવિત્ર બને છે, ત્યાં નજીકતા હોય શકે છે જે જાતિય પણ હોઇ શકે છે. શિષ્ય-ગુરૂનું આકર્ષણ,
કૃષ્ણ-ગોપી પ્રેમની પરંપરામાં સેક્ષુઅલ યુનિયન પ્રગટ થઈ શકે છે. તો તંત્ર ખરેખર શું છે અને તે આપણી
સેક્ષુઆલિટી સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે ?
સદ્દગુરૂ : દુર્ભાગ્યે, પશ્ચિમના દેશોમાં, તંત્રને એવી રીતે રજૂ કરવામાં આવે છે કે તે બિનરૂકાવટી સેક્સ તરીકે
માને છે. તેનું ખૂબ ખરાબ રીતે અર્થઘટન કરવામાં આવ્યું છે. તેનું એ કારણ છે કે તંત્રના પુસ્તકો તેવા લોકો
દ્વારા લખવામાં આવ્યા છે જેઓ ફક્ત પુસ્તકો વેચવા માંગે છે. તેઓ કોઈપણ રીતે તાંત્રિક નથી.
“તંત્ર” શબ્દનો શાબ્દિક અર્થ એ એક ટેક્નિક અથવા ટેકનોલોજી છે. આ એક આંતરિક ટેકનોલોજી છે. આ
સબ્જેક્ટિવ પદ્ધતિઓ છે પણ ઓબ્જેક્ટિવ પદ્ધતિઓ નથી. પરંતુ સમાજમાં વર્તમાન સમજૂતીમાં “તંત્ર”
શબ્દનો અર્થ ખૂબ બિનપરંપરાગત અથવા સામાજિક અસ્વીકાર્ય રીતોનો છે. તે માત્ર ચોકકસ પાસાઓનો
ચોક્કસ રીતે ઉપયોગ કરવામાં આવે છે કે જે તે છે. તે યોગથી કઈં અલગ નથી. તે યોગનું એક અંગ છે
જેને તંત્ર યોગ કહેવાય છે.
“ મારે સેક્ષુઅલ જરૂરિયાતો છે તેથી મારે તાંત્રિક માર્ગ અનુસરવો છે” ની શરતે વિચારતા લોકો નોનસેન્સ
છે . માનવીય પદ્ધતિ એ ભૌતિક શરીરનું મિશ્રણ છે – ખોરાકનો સંચય થવો ; માનસિક શરીર – સૉફ્ટવેર
અને મેમરી ભાગ , જે વ્યક્તિઓને ચોક્કસ રીતે કાર્ય કરાવે છે ; અને ઊર્જા શરીર – મૂળભૂત માનવીય
પદ્ધતિ કે જેના ભૌતિક શરીર પર આ બે રાખવામા આવે છે. જે આની પેલી તરફ છે તે બિન-ભૌતિક છે.
શરીર અને મનની અનિવાર્ય અને ચક્રિય પ્રકૃતિ ઉચ્ચ શક્યતાઓ માટે પોતાને અવરોધ આપે છે. તંત્રએ
આગળ વધવું છે, જેથી શરીર અને મનની અનિવાર્યતા આપણને આપણી મર્યાદાઓમાં ફસાવી ન રાખે. તે
શરીરનો ઉપયોગ કરવાનું શીખવા વિષે છે, નહીં કે પોતાના વિષે, પણ તે સૌથી વધુ શક્ય ડાઈમેન્શન
સુધી પહોચાડવા માટે પગથિયાં તરીકે છે.
તંત્ર યોગ : ટોચથી બ્લોઇંગ
તંત્ર નિરંકુશ સેક્ષુઆલિટી વિષે નથી, જેમ કે ઘણા દ્વારા એવું ધારવામાં આવે છે. સેક્ષુઆલિટી એ મૂળભૂત
પ્રકૃતિ છે જે આપણા શરીરમાં સ્વાભાવિક હોય છે તેને સલામત બનાવવા માટે પ્રજાતિઓ પોતાને ટકાવી
રાખે છે. આ મૂળભૂત જરૂરિયાત છે. તે સમયે આપણે મર્યાદાઓ જાણવી જોઇએ જે આપણને આગળ લઈ
જઈ શકશે નહીં. તે ફક્ત મર્યાદાઓ ઓળખવા પર અને અન્ય ડાઈમેન્શન્સને સ્પર્શ કરવાની ઈચ્છા પર
પ્રવેશે છે, જે યોગ અને તંત્ર સંબંધિત બની જાય છે.
“ મારે સેક્ષુઅલ જરૂરિયાતો છે તેથી મારે તાંત્રિક માર્ગ અનુસરવો છે” ની શરતે વિચારતા લોકો નોનસેન્સ છે.
તંત્રમાં, તે એવું નથી કે કોઈ વ્યક્તિ માત્ર સેક્ષુઆલિટી વધવા માટે ઉપયોગ કરી રહી છે. તેઓ દરેક પાસાને
વધવા માટે વાપરી રહ્યા છે. દુર્ભાગ્યે, એવા લોકો હોઇ શકે છે જે ખોટા કારણોસર આ પ્રકારના રસ્તા તરફ
આકર્ષાય છે. તેઓ તેમની સેક્ષુઆલિટી માટે આધ્યાત્મિક મંજૂરી માંગવા જાય છે. શા માટે તમે પોતાને
આધ્યાત્મિકતા વિષે નોનસેન્સ થવા માંગો છો ? તમારી બાયોલોજીને બાયોલોજી તરીકે નિયંત્રિત કરો,
તમારે તેને અન્ય નામો આપવાની જરૂર નથી.
સેક્ષુઅલ જરૂરિયાતોને તે હેતુ માટે સંબંધો બનાવીને પૂર્ણ કરી શકાય છે, યા તો પંથની અંદર અથવા બહાર.
સેક્ષુઅલ અનિવાર્યતાને પરિપૂર્ણ કરવા માટે આધ્યાત્મિક પ્રક્રિયાનો ઉપયોગ કરવો તે દોષયુક્ત અને
બેજવાબદાર છે. તે વિવિધ સ્તરના નુકશાન તરફ દોરી જાય છે કારણ કે તાંત્રિક પ્રક્રિયા વ્યક્તિના
આધ્યાત્મિક વિકાસ માટે જ ઉપયોગમાં લેવાતી નથી, પણ અન્ય શક્યતાઓને ટેકો આપવા માટે એનેર્જેટિક
જગ્યા પણ બનાવી શકે છે જે ઘણા લોકોને સુખી બનાવી શકે છે.
સેક્ષુઆલિટીથી વિપરીત, જે ઉર્જા પ્રણાલીના નીચલા સ્તરે પ્રકાશન શોધવાનું વલણ ધરાવે છે, તંત્ર એ ઉર્જા
નિર્માણ કરવા વિષે ઉર્જા પ્રણાલીના ઉપરી ડાઈમેન્શનનું મૂળ સ્ત્રોત છે.
તંત્ર યોગનો સરળ સિદ્ધાંત છે : જે તમને નીચે લઈ જઈ શકે છે તે તમને ઉપર પણ લઈ જઈ શકે છે. જે
રીતે લોકો સામાન્ય રીતે તેમના જીવનમાં ડૂબી જાય છે તે ખોરાક, મદ્યપાનવાળું પીણું અને સેક્ષુઆલિટી
દ્વારા થાય છે. તંત્ર યોગ ઉપર ઊઠવા માટે એ જ ત્રણ વાહનોનો ઉપયોગ કરે છે. સેક્ષુઆલિટીથી વિપરીત,
જે ઉર્જા પ્રણાલીના નીચલા સ્તરે પ્રકાશન શોધવાનું વલણ ધરાવે છે, તંત્ર એ ઉર્જા નિર્માણ કરવા વિષે ઉર્જા
પ્રણાલીના ઉપરી ડાઈમેન્શનનું મૂળ સ્ત્રોત છે, જેથી ટોચમાથી તેની ઉર્જાઓ ફેલાઈ જાય છે. શરીરની
વિવિધ ઉર્જા અભિવ્યક્તિઓમાથી – ૧૧૪ ચક્રો તરીકેનો ઉલ્લેખ થયેલો – ટોચની ત્રણ ફેલાતી અભિવ્યક્તિને
સૌથી વધુ ગણવામાં આવે છે. જો તમને આનો વિકાસ કરવો હોય તો સેક્ષુઅલ સહજતા, લાગણીઓ, બુદ્ધિ
અને જીવન ટકાવવાની પ્રક્રિયા સહિતની પ્રત્યેક મૂળભૂત વૃત્તિનો ઉપયોગ ઉર્જા પ્રણાલીના નિર્માણ અને
પ્રસિદ્ધિ માટે કરવો જોઇએ. તેનો ઇરાદો બધી વૃત્તિઓને જમાવવાનો છે, જેના માટે શરીરમાં ઉર્જાનો ચોક્કસ
ભાગ સમર્પિત કરવામાં આવે છે. જો કોઈ વાસ્તવિક સેક્ષુઅલ કાર્યમાં જાય તો બિલ્ડ-અપ અને તેનો હેતુ
ખોવાઈ જશે.
પરંતુ એક વાર લોકો ચોક્કસ પદાર્થોનો ઉપયોગ શરૂ કરે છે, તેઓ ચોક્કસ સ્થિતિમાં હોવા જોઈએ, નહિતર
તે માત્ર વ્યસન બની જાય છે. આને અત્યંત શિસ્તની જરૂર છે, એ એક પ્રકારની શિસ્ત છે જે મોટાભાગના
લોકોને પણ પ્રયાસ કરવા માટે શક્ય નથી. જ્યારે લોકો આ પ્રકારના માર્ગે ચાલે છે, જો ૧૦૦ લોકો તેને
લઈ લે છે, તો તેમાથી ૯૯ લોકોનો ફક્ત મદ્યપાન કરનાર તરીકે જ અંત આવશે.
ડાબી અને જમણી બાજુના તંત્ર યોગ
જો કે, આ એ છે કે જેને ડાબી બાજુના તંત્ર તરીકે ઓળખવામાં આવે છે જે ક્રૂડર ટેક્નોલોજી છે. તે વિવિધ
કર્મકાંડોનો સમાવેશ કરે છે. એક જમણા હાથનો રસ્તો પણ છે જે ખુબજ શુદ્ધ ટેક્નોલોજી છે. આ બન્ને
પ્રકૃતિમાં સંપૂર્ણપણે અલગ છે. જમણા હાથનો રસ્તો વધુ આંતરિક અને ઉર્જા મુજબનો છે, તે બધુ તમારા
વિષે છે. તેમાં કોઈ ધાર્મિક અથવા બહારની ક્રિયાનો સમાવેશ થતો નથી. શું તે તંત્ર છે ? એક રીતે તે છે,
પરંતુ શબ્દ યોગ તેમાં બધાને સાથે સમાવેશ કરે છે. જ્યારે આપણે યોગ કહીયે છે ત્યારે આપણે કોઈ પણ
સંજોગોને બાકાત રાખતા નથી – બધુ તેમાં છે. તે માત્ર એટલુ જ છે કે કેટલાક વિકૃત લોકોએ એક ચોક્કસ
પ્રકારની પ્રક્રિયા જોઈ કે જે ફક્ત ડાબા હાથના તંત્ર છે જ્યાં શરીરનો ચોક્કસ ઉપયોગ થાય છે. તેઓએ માત્ર
તે ભાગ લીધો જેમાં તેને મોટું કર્યું અને અકુદરતી સેક્સની બધી જાતો માથી તેના વિષે પુસ્તકો લખાયા. તે
તંત્ર નથી.
એટલે કે તંત્ર કોઈ અકુદરતી નકામી વાત નથી . તે એક ચોક્કસ ક્ષમતા છે. તે સિવાય કોઈ શક્યતા નથી .
તંત્ર એટલે કે તમે તમારી શક્તિનો ઉપયોગ બનેલી વસ્તુઓને બનાવવા માટે કરી શકો છો. જો તમે બધુ
સર કરવા તમારા મનને રેઝર શાર્પ કરી શકો, તો આ પણ એક જાતનું તંત્ર છે. જો તમે તમારી શક્તિને
તમારા હૃદય પર પૂર્ણપણે પ્રેમાળ બનવા માટે કામ કરો છો અને તમે પ્રચંડ પ્રેમથી આગળ વિસ્ફોટ કરી
શકો છો જે દરેકને પ્રભાવિત કરે છે , આ પણ તંત્ર છે. જો તમે તમારા ભૌતિક શરીરને અદ્ધભૂત પરાક્રમ
કરવા માટે અત્યંત શક્તિશાળી બનાવી રહ્યા છો, તો આ પણ તંત્ર છે. અથવા જો તમે તમારી શક્તિથી
શરીર, મન અથવા લાગણીને કામે લીધા વગર પોતાની જાતે જ વસ્તુઓ કરી શકો છો, તો આ પણ તંત્ર છે.
એટલે કે તંત્ર કોઈ અકુદરતી નકામી વાત નથી . તે એક ચોક્કસ ક્ષમતા છે. તે સિવાય કોઈ શક્યતા નથી.
પ્રશ્ન એ છે કે “ તમારો તંત્ર કેવી રીતે શુદ્ધ છે ?” જો તમે તમારી શક્તિને મુવ કરવા માંગો છો તો તમારે
૧૦,૦૦૦ ધાર્મિક વિધિઓ કરવાની જરૂર છે અથવા તમે અહીં બેસી શકો છો ને તે કરી શકો છો ? એ મોટો
તફાવત છે. લો ટેક્નોલોજી અથવા હાઈ ટેક્નોલોજી એ પ્રશ્ન છે, પરંતુ તંત્ર વિના કોઈ આધ્યાત્મિક પ્રક્રિયા
નથી.
તંત્ર યોગ : તે હફીંગ અને પફીંગ વિષે નથી
હું તમારી ટેક્નોલોજીને અપગ્રેડ કરવા વિષે વાત કરું છુ. એક ઓર્ગાસ્મિક સ્થિતિમાં પ્રવેશ મેળવવા માટે
તમારે હફ અને પફ કરવાની જરૂર પડતી નથી. જો તમે તમારી બંધ રાખેલી આંખો સાથે બેસો તો તમે
તમારા શરીરના દરેક સેલમાં ઓર્ગાસ્મ્સ સાથે ડ્રીપ કરી શકો છો .
ગુરુ-શિષ્યના સંબંધો એ શિષ્યને સભાનતાના ઊચા ડાઈમેન્શને પહોચડવાનું છે નહીં કે કોઈને સેક્ષુઆલિટીના
અનિવાર્ય પ્રકૃતિમાં ફસાવવા. આ ઉપરાંત, આ પવિત્ર સંબંધ ચોકકસપણે ઓર્ગાસ્મિક છે, પરંતુ સેક્ષુયલ
નથી .
હું તમારી ટેક્નોલોજીને અપગ્રેડ કરવા વિષે વાત કરું છુ. એક ઓર્ગાસ્મિક સ્થિતિમાં પ્રવેશ મેળવવા માટે
તમારે હફ અને પફ કરવાની જરૂર પડતી નથી. જો તમે તમારી બંધ રાખેલી આંખો સાથે બેસો તો તમે
તમારા શરીરના દરેક સેલમાં ઓર્ગાસ્મ્સ સાથે ડ્રીપ કરી શકો છો. જે લોકો અસ્તિત્વની ઓર્ગાસ્મિક સ્થિતિ
પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયા છે તેઓ સેક્ષુઆલિટીને આનંદની સ્થિતિ સાથે જોડશે કારણ કે ઘણું કરીને તેઓ
અનુભવના સૌથી ઊંચા સ્તરને જાણે છે.
લોકો હમેશા કૃષ્ણ-ગોપી સંબંધમાં આશ્વાસન લેવાનો પ્રયાસ કરે છે. દંતકથાની જેમ, કૃષ્ણએ ૧૬,૦૦૦
મહિલાઓને એકસાથે ઉત્તેજના આપી હતી . સેક્ષુયલ યુનિયન સાથે આ બનતું નથી. એક શિષ્ય ગુરુ સાથે
ઘનિષ્ઠ સંબંધ સ્થાપિત કરી શકે છે. ગાઢ સંબંધને સામાન્ય રીતે ફક્ત બે શરીરના સ્પર્શ તરીકે જ
સમજવામાં આવે છે. જેઓ આધ્યાત્મિક માર્ગ પર છે તેઓનું શરીર પૂરતું ઘનિષ્ઠ નથી. ભૌતિક શરીર
બહારથી એક સંચય છે, તેથી તાંત્રિક અને યોગીક પ્રણાલીઓમાં, શરીરને તમારા એક ઇંટિમેટ ભાગ તરીકે
ક્યારેય ગણવામાં આવતો નથી . જ્યારે શક્તિઓ મળે છે અને ભળે છે અને ગુરૂની શક્તિઓ શિષ્યની
શક્તિઓને દબાવી દે છે અને ઓવરરાઇડ કરે છે ત્યારે તે એક ઓર્ગાસ્મિક અનુભવ તરફ દોરી જાય છે –
એક યુનિયન , પરંતુ સેક્ષુયલ પ્રકારનું નથી .
જો તમે બધા ધ્યાન કે આધ્યાત્મિક પ્રેક્ટિસ કરવા ઇચ્છતા હોવ તો તમારે ખરેખર ગુરૂની જરૂર નથી . ગુરૂ
અહીં અત્યંત આનંદ સાથે તમને જાગૃત કરવા માટે અનિવાર્ય છે. તેથી તંત્ર મુક્તિની ટેકનૉલોજી છે ગુલામ
બનવાની નહીં.