Mahabharat All Episodes

સદ્‍ગુરુ: તો શાંતનુએ પોતાના પુત્રની જિંદગીનો ભોગ લીધો, બિલકુલ એ પ્રમાણે જેમ યયાતિએ પોતાના પુત્રનું યૌવન માંગ્યું હતું. શાંતનુને સત્યવતી થી બે પુત્રો થયા. પ્રથમ પુત્ર ચિત્રાંગદ તરીકે ઓળખાતો અને બીજો વિચિત્રવીર્ય. ચિત્રાંગદ, એક ઘમંડી રાજકુમાર એક દિવસ જંગલમાં ગયો. તેનો સામનો એક ગંધર્વ સાથે થયો - એક અસાધારણ પ્રતિભાશાળી વ્યક્તિ જે બીજે ક્યાંકથી આવ્યો હતો - જેનું નામ પણ ચિત્રાંગદ હતું જ્યારે આ ગંધર્વએ કુમારને પૂછ્યું, "તું કોણ છે?", એણે ગર્વથી કહ્યું,"હું ચિત્રાંગદ." ગંધર્વએ હસીને કહ્યું, "તે પોતાને ચિત્રાંગદ કહેવાની હિંમત કઈ રીતે કરી? ચિત્રાંગદ હું છું. સારું થશે કે તું તારું નામ બદલી નાખે. આ મારું નામ છે અને મારું નામ રાખવા માટે તુ અયોગ્ય છે." રાજકુમાર ઊભો થઈ ગયો અને કહ્યું, " તારી આવી હિંમત! લાગે છે તે બહુ જીવી લીધું. ચાલ, આપણે યુદ્ધ કરીએ કારણ કે મારા પિતાએ મારું નામ ચિત્રાંગદ રાખ્યું છે અને આ મારું નામ છે." તેમની વચ્ચે યુદ્ધ થયું અને ગણતરીની પળો માં કુમારનું મૃત્યું થયું.

વિચિત્ર માણસ

હવે માત્ર એક પુત્ર બચ્યો હતો - વિચિત્રવીર્ય. "વિચિત્ર" એટલે વિકૃત અથવા અટપટું. "વીર્ય" નો અર્થ છે પૌરૂષ. તે એક વિચિત્ર પુરુષ હતો. આપણે નથી જાણતા તેનો સ્પષ્ટ અર્થ શું છે. કાંતો તે પત્ની કરવા માંગતો નહોતો કે પત્ની કરવા માટે અસમર્થ હતો. પત્ની લાવવાની કે બાળક થવાની જે વાત છે તેને આપણે હાલના સમયના સંદર્ભે ન જોવી જોઈએ. તે સમયે એ સૌથી મહત્વની વાત હતી કારણ કે રાજા હોવાને નાતે સૌથી પહેલી ચિંતા એ રહેતી કે તમારે પુત્રો હોવા જ જોઈએ. નહીં તો કુળની પરંપરા આગળ કોણ લઈ જાય? રોજ તે લોકો યુદ્ધ માટે જતા. તમે જે કોઈ પણ હોવ, તમારો વધ થઈ શકે. જો તમારો વધ થઈ જાય તો તમને પુત્ર છે કે નહિ તે ઘણી મહત્વની વાત રહેતી. આજ કારણથી તે લોકો હંમેશા લગ્ન કરવા અને પુત્ર હોવા બાબતમાં વિચારતા રહેતા કારણ કે જો તેમને પુત્ર ન હોય તો સમગ્ર સામ્રાજ્ય કોઈ બીજા પાસે જતું રહે.

વિચિત્રવીર્ય લગ્ન માટે રાજી ન હતો, ભીષ્મ લગ્ન કરવા રાજી ન હતા. ચિત્રાંગદ જીવિત ન હતો. તેથી કુરુ સામ્રાજ્ય સ્થગિત થવાને આરે આવી ઉભું હતું.

વિચિત્રવીર્ય લગ્ન માટે રાજી ન હતો, ભીષ્મ લગ્ન કરવા રાજી ન હતા. ચિત્રાંગદ જીવિત ન હતો. તેથી કુરુ સામ્રાજ્ય સ્થગિત થવાની અણી પર આવીને ઉભું હતું. આ પરિસ્થિતિમાં કાશીના રાજાએ તેમની ત્રણ કુંવરીના સ્વયંવરની ઘોષણા કરી - અને તેમણે કુરુ રાજ્યને તેના માટે આમંત્રિત ન કર્યું. કુરુ સામ્રાજ્ય તે સમયે સૌથી મોટું અને સૌથી વધારે આદરપાત્ર ગણાતું હતું પરંતુ તેમને આમંત્રણ ન મળ્યું કારણ કે કાશી નરેશ નહોતા ઈચ્છતા કે તેમની પુત્રીઓ વિચિત્રવીર્યને પરણે જેની મર્દાનગી બાબતે અફવાઓ હતી. ભીષ્મ આ અપમાન સહન ન કરી શક્યા કારણ કે તેમના માટે કુરુ સામ્રાજ્ય પ્રત્યેનું સમર્પણ પોતાની જાત કરતા પણ વધુ હતું - બીજા કોઈના પણ સુખ કરતા વધુ હતું. તેથી એમણે સ્વયંવરમાં હાજરી આપવાનું નક્કી કર્યું.

ભીષ્મ અંબાનું અપહરણ કરે છે

સ્વયંવરનો અર્થ હતો કે યુવતી પોતાનું ભાગ્ય જાતે પસંદ કરી શકતી. જ્યારે રાજકુમારીને લગ્નનો સમય આવતો ત્યારે એ લોકો એક સમારંભ જેવું યોજતા જેમાં જે ક્ષત્રિય હોય અને જેને એમ લાગતું હોય કે તે કુંવરીને લાયક છે, તે ભાગ લઈ શકતા અને રાજકુમારી પોતાની ઈચ્છા પ્રમાણે વર પસંદ કરી શકતી. તે એનો અખત્યાર હતો અને તેમાં કોઈ હસ્તક્ષેપ કરી ન શકતું.

કાશીનરેશની ત્રણે કુંવરી - અંબા, અંબિકા અને અંબાલિકા - એક જ સમયે સ્વયંવરમાં દાખલ થઈ. અંબા પહેલેથી જ શાલ્વના રાજા ના પ્રેમ માં હતી, જેનું નામ સલ્વ હતું, અને તે તેમને પસંદ કરવાની હતી. કુંવરીની પસંદગી જાહેર કરવાની સરળ રીત એ હતી કે એને ફૂલહાર આપવામાં આવતો, તેણી આસપાસ સહુ રાજાઓને જોઈને, જે તેને પસંદ હોય એના ગળામાં હાર પહેરાવી દેતી અને તે તેણીનો પતિ બની જતો. અંબા સલ્વ પાસે ગઈ અને તેને વરમાળા પહેરાવી.

વિચિત્રવીર્યએ અંબિકા અને અંબાલિકા સાથે લગ્ન કર્યા. તેણે અંબાનો અસ્વીકાર કર્યો.

બરાબર એ જ સમયે, ભીષ્મ દાખલ થયા. ત્યાં બેઠેલા બીજા યોદ્ધાઓને તેમનો ડર લાગ્યો કારણ કે ભીષ્મ મહાન યોદ્ધા હતા. સાથોસાથ એ લોકો એ વાતથી પણ પરિચિત હતા કે તેમણે પોતાની ખસી કરી લીધી હતી અને તે ક્યારેય લગ્ન નહીં કરે. તેથી તેમણે કટાક્ષ કર્યો, "હવે એક વૃદ્ધ અહીં શા માટે આવ્યો છે? શું તે કન્યા લેવા આવ્યો છે? કે પછી કુરુ સામ્રાજ્યમાં કોઈ યોદ્ધો બચ્યો નથી જે જાતે આવીને કન્યાને લઈ જાય? શું  તે માટે એ આવ્યા છે?" ભીષ્મ ક્રોધિત થઈ ઉઠ્યા કેમ કે તેમનું રાજ્ય અને વંશની મશ્કરી ઊડાવાઈ રહી હતી. તેથી એમણે ત્રણે કન્યાઓનું અપહરણ કર્યું અને પોતાની સાથે લઈ ગયા. બીજા રાજાઓએ યુદ્ધ કર્યું પણ ભીષ્મએ બધાને હરાવી દીધા. સલ્વ પોતે લડ્યો કારણ કે તેની પત્નીનું અપહરણ થઈ રહ્યું હતું, પણ ભીષ્મએ તેને પરાજિત કર્યો, તેનું અપમાન કર્યું અને ત્રણે કન્યાઓને લઈ ગયા.

પાછળની પેઢીઓથી અલગ એવુ આ એક પરિવર્તન હતું, જ્યારે સ્ત્રીઓ શરત મૂકી શકતી હતી. હવે એક સ્ત્રીને ખેંચીને લઈ જવાતી હતી. અંબાની આંખોમાંથી અશ્રુ છલકાતા હતા. જ્યારે તેઓ હસ્તિનાપુર, કુરુ સામ્રાજ્યની રાજધાની તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે અંબાએ કહ્યું, "તમે આ શું કર્યું? હું તે માણસ સાથે પ્રેમમાં હતી અને હું તેને વરમાળા પહેરાવી ચૂકી હતી. તે મારા પતિ છે. તમે મને આ રીતે ન લઈ જઈ શકો."

ભીષ્મએ જવાબ આપ્યો, ”હું તને લઈ જઈ રહ્યો છું. હું જે લઉં તે કુરુઓનું થઈ જાય." તેણીએ પૂછ્યું, "શું તમે મારી સાથે લગ્ન કરશો?" ભીષ્મએ જવાબ આપ્યો, "ના, તું વિચિત્રવીર્યને પરણશે." પણ વિચિત્રવીર્ય માત્ર અંબિકા અને અંબાલીકાને પરણ્યો. તેણે અંબાનો અસ્વીકાર કરતા કહ્યું, "તેણે બીજા કોઈને વરમાળા પહેરાવી છે. તેણે "એનું દિલ બીજા કોઈને સોંપ્યું છે. હું આ સ્ત્રી સાથે લગ્ન નહીં કરું."

અંબાની દુર્દશા

Mahabharat Episode 8: Amba’s Plight

અંબા દિગ્મૂઢ થઈ ગઈ. "હવે મારે શું કરવાનું?" ભીષ્મએ તેની માફી માંગી અને કહ્યું, "હું તને સલ્વ પાસે મોકલવાની વ્યવસ્થા કરું છું." અંબા આ પ્રસ્તાવથી ઘણી ખુશ થઈ અને સલ્વ પાસે પાછી ગઈ - પણ તેને ત્યાં પણ આઘાત મળવાનો હતો. સલ્વએ તેનો એમ કહીને અસ્વીકાર કર્યો કે, ”હું કોઈની પાસેથી દાન સ્વીકારવા નથી બેઠો. હું યુદ્ધ હારી ગયો છું. એ વૃદ્ધ પશુએ મને હરાવ્યો છે અને હવે તે મને દાનમાં કન્યા આપવા માંગે છે. હું તને નહીં સ્વીકારું. પાછી જા."

આ પાંચ હજાર વર્ષ પૂર્વેની વાત છે. એક રાજકુમારીનો બધી બાજુથી અસ્વીકાર થયો છે, એ  એના પિતા પાસે પાછી જઈ શકતી નથી, તેને પતિ નથી. તેણે સ્વીકારેલો પુરુષ તેને સ્વીકારવા રાજી નથી.

અંબાનો હવે બંને જગ્યાએથી અસ્વીકાર કરાયો હતો. તે હસ્તિનાપુર પાછી આવી અને ભીષ્મને આગ્રહ કર્યો કે તે તેણી સાથે લગ્ન કરે. "તમે મારી જિંદગી બરબાદ કરી છે, હું જેને ચાહું છું તે પુરુષને તમે મારી પાસેથી છીનવી લીધો, તમે બળજબરી કરીને મને અહીં લઈ આવ્યા અને જેની સાથે મારે લગ્ન કરવાના હતા તેણે મારી સાથે લગ્ન કર્યા નહીં હવે તમારે મારી સાથે લગ્ન કરવા જોઈએ." ભીષ્મએ સ્પષ્ટ ના ભણી. "મારી નિષ્ઠા મારા રાજ્ય તરફ છે. હું વચન આપી ચુક્યો છું કે હું લગ્ન નહિ કરું અને તે જ અંતિમ છે."

સંપૂર્ણ ઉજડેલી હાલતમાં અંબા ત્યાંથી નીકળી ગઈ. હું ઈચ્છું છું કે તમે કલ્પના કરો, આ પાંચ હજાર વર્ષ પૂર્વેની વાત છે, એક રાજકુમારી જે બધેથી તિરસ્કૃત થઈ છે, જે પોતાના પિતા પાસે પાછી જઈ શકતી નથી. તેની પાસે પતિ નથી. તેણે સ્વીકારેલો પુરુષ તેને સ્વીકારવા રાજી નથી. ક્યાં જાય છે તેની કોઈ જાણકારી વગર તે ત્યાંથી નીકળી ગઈ. સાવ તારાજીની હાલતમાં.

ક્રમશ: ...

More Mahabharat Stories

Editor’s Note: A version of this article was originally published in Isha Forest Flower August 2015. Download as PDF on a “name your price, no minimum” basis or subscribe to the print version.