Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
જીવન એક દોડ નથી. તે એક જબરદસ્ત ઘટના છે.
માર્ગ જ મંજિલ છે અને મંજિલ માર્ગમાં છૂપાયેલી છે, જેમ સર્જનહાર સર્જનમાં છૂપાયેલ છે.
જો તમે શંકામાં જીવો, હંમેશા એવું વિચારીને કે બધા તમારી પાસેથી કંઈક લઈ લેવા માંગે છે, તો તમે જીવનમાં નાની-નાની વસ્તુઓ જ કરશો. વિશ્વાસ ખુબ જ મહત્ત્વનો છે.
એક જ ઊર્જા લાખો અલગ અલગ રીતે પ્રગટ થાય છે: એક પથ્થરના રૂપમાં, એક ઝાડ, એક પ્રાણી, અને એક માણસના રૂપમાં, કે તેના સૌથી સૂક્ષ્મ રૂપ - દિવ્યતાના રૂપમાં.
દરેક પરિસ્થિતિ એક તક છે. તમે તેમાંથી સુખાકારી મેળવો છો કે દુઃખ - તે તમારી પસંદગી છે.
તમારા પ્રેમ, તમારા આનંદ અને તમારા ઉલ્લાસને રોકી ન રાખો. જે તમે આપો છો તે જ તમારો ગુણ બને છે, તમે જે રોકી રાખો છો તે નહિ.
તમે આ બ્રહ્માંડમાં બસ ધૂળનો એક કણ છો. જો તમે તમારા અસ્તિત્વનો સંદર્ભ સમજો તો તમે સ્વાભાવિક રીતે મૌન થઈ જશો.
જીવન તમારી આસપાસ ઘટિત થઈ રહેલું નાટક નથી. જીવન એ મૂળભૂત પરિમાણ છે જે તમે સ્વયં છો.
તમે જેટલી વધારે સુરક્ષા ગોતશો, તમારા જીવનમાં થતાં દરેક બદલાવથી તમે તેટલા વધારે હેરાન થશો.
તમારું ધ્યાન ફક્ત તમારાં વિષે નથી. જો તમે ખરેખર ધ્યાનમય બનો, તો તમારી આસપાસનું બધું કોઈ કારણ વિના શાંત થઈ જશે.
આત્મવિશ્વાસ સ્પષ્ટતાનો વિકલ્પ નથી. સફળ થવા માટે તમને સ્પષ્ટતાની જરૂર છે, આત્મવિશ્વાસની નહિ.
આ પૂર્ણિમાએ, ગૌતમ બુદ્ધ એક પૂર્ણ આત્મજ્ઞાની બન્યા, અને આધ્યાત્મની એક લહેર ઉઠાવી. આ તમારી આધ્યાત્મિક સાધનાને તીવ્ર બનાવવા માટેની પ્રેરણા બને તેવી કામના.