સદગુરુ : ઇબ્રાહિમ એ એક મહાન સૂફી સંત હતા જે પહેલા એક રાજા પણ હતા. એક વખત ઇબ્રાહિમ ઊંટોનો વિશાળ કાફલો તથા નોકર-ચાકરોનો એક સમૂહ લઈ મક્કા તરફ પ્રયાણ કરી રહ્યા હતા. તે રણમાં સંભવ હોય તે સીમાઓ સુધી ખૂબ જાહોજલાલીમાં મુસાફરી કરી રહ્યા હતા. તેની પાસે સોનાની ખીલ્લીઓથી સુશોભિત ભવ્ય ટેન્ટો હતા. જે કંઈ પણ સ્વર્ણ જડિત હોઈ શકતું હતું તે બધું જ સ્વર્ણ જડિત હતું. તેમણે જે કપડાં પહેર્યા હતા તે પણ ખૂબ વૈભવી પ્રકારના હતા. ત્યાંથી એક હજુ સૂફી સંત, એક ફકીર ત્યાંથી પસાર થયા, તે ફકીર આ બધી વિલાસતા જોઈ તે વિચારે છે કે "આ કોઈ આધ્યાત્મિક વ્યક્તિ તો ન જ હોઈ શકે." જ્યારે તેમને ઇબ્રાહિમને મળવાનો અવસર મળ્યો ત્યારે તેમણે તેમને પૂછ્યું "તમે કેવા પ્રકારના સૂફી છો? તમે હજુ પણ પોતાની ભૌતિક સંપત્તિ, પોતાની સોનાની ખૂંટ પકડી રાખી છે!" ઇબ્રાહિમે માત્ર માથું હલાવ્યું અને તેમને આરામ કરવા કહ્યું.  

જ્યારે તેઓ રાત્રે ફરી મળ્યા તો ઇબ્રાહિમે કહ્યું "ચાલો સવારે આપણે જોડે મક્કા જઈએ" તે માણસે કહ્યું "હું પણ ત્યાં જ જઉં છું."

તેઓ સવારે વહેલા ઉઠી સાથે નીકળી ગયા. રણમાં થોડો સમય ચાલ્યા બાદ બીજા માણસને યાદ આવ્યું કે તેણે તેનો ભીખ માંગવાનો વાટકો તો ત્યાં રૂમમાં જ છોડી દીધો છે. તેમણે ઇબ્રાહિમને કહ્યું "હું મારો ભીખ માંગવાનો વાટકો ત્યાં રૂમમાં જ ભૂલી ગયો છું, હું પાછો જઇને તે લઈને આવું છું."  તે પાછા આવવા નીકળી ગયા.

 

Sufi saint, Ibrahim

 

ઇબ્રાહિમે તેની બાજુ જોયું અને કહ્યું "મેં તે બધી જ સંપત્તિ,  ઊંટ, સોનાના તંબુ અને બીજું બધું જ છોડી દીધું છે અને જુઓ હું પાછળ જોયા વગર ચાલું છું. અને તમે ભીખ માંગવાના વાટકા માટે પાછા જવા માંગો છો? હું તમને જણાવવા માંગુ છું કે અહીં સોનાની ખીલ્લીઓ માત્ર રેતીને વેધી શકે છે, મારા હૃદયને નહીં. તે સ્ટીલ છે કે સોનું, મને કોઈ ફરક નથી પડતો, એટલે જ મેં તેને સોનું બનાવ્યું છે. અને તમે? તમે તમારા ભીખ મંગવાના વાટકાને છોડીને નથી ચાલી શકતા. તમે મક્કા જઇ રહ્યા છો, જે સૌથી પવિત્ર હોવાનું માનાય છે, પરંતુ તમે ભીખ માંગવાના વાટકાના કારણે પાછા જાઓ છો. હું મારી સાથે ભીખ મંગવાનો વાટકો પણ નથી લઈ જઈ રહ્યો." અને ઇબ્રાહિમ આગળ ચાલતા થયા.\

તમારી પાસે શું છે કે શું નથી, તમે કેવી રીતે ખાઓ છો, કેવા કપડાં પહેરો છો કે તમે કેવી રીતે જીવો છો આ બધું તમે ખરેખર કેવા છો તે નિર્ધારિત નથી કરતું. બહારથી તમે કોઈ પણ રીતે જીવી શકો છો. પરંતુ તમે અંદરથી કેવા છો, તે વધુ મહત્વનું છે. નહીં તો તમે ઘણું બધું ભેગું કરી શકો છો અને કશું નથી તેમ પણ રહી શકો છો.

ગુફાઓના સમયથી જ લોકો વસ્તુઓ ભેગી કરતા આવ્યા છે. તમે બાળક હતા ત્યારે તમે પણ પથ્થરના ચમકદાર ટુકડાઓ ભેગા કર્યા હતા. ત્યારથી કશું જ નથી બદલાયું. આ તો માત્ર આટલું જ છે કે હવે પથ્થરો ખૂબ મોંઘા થઈ ગયા છે. એક બાળક તરીકે તમે માત્ર આને સમુદ્ર તટેથી જ મેળવી શકો છો. હવે, તમારે તેને વધુ મોંઘા ભાવે ખરીદવા પડશે. કશું બદલાયું નથી. તમે હજું પણ ભેગું કરવા માંગો છો.

 

જીવન તમે ભેગું કરો છો તે વસ્તુઓમાં નથી...

તમે જે ભેગું કરો છો - સંબંધો, કુટુંબ, સંપત્તિ, જ્ઞાન, વિચારો અને તમારી પાસે છે તે દરેક વસ્તુ માત્ર તમારા જીવનમાં સુશોભનના સંસાધન માત્ર જ છે. લોકો એટલા બધા સંસાધનો ભેગા કરે છે અને આ સંસાધનો સાથે એટલા જોડાઈ જાય છે, કે તેમની પાસે જે જીવન છે તેની અનુભૂતિ જ નથી કરતા.

જીવન એ વસ્તુઓમાં નથી જે તમે ભેગી કરો છો. બધું ભેગું કરી તમે જીવનમાં પૂર્ણ બનવાનો પ્રયાસ કરી રહ્યા છો.  તમે વસ્તુઓને પામીને પૂર્ણ બનવાનો પ્રયત્ન કરી રહ્યા છો. તમે કોઈ પણ રીતે આ સુનિશ્ચિત કરવા માંગો છો કે તમારું જીવન ખાલી ન થાય. પરંતુ ખાલીપણાના સમયમાં બધી સુંદર વસ્તુઓ તમારી સાથે જ થઈ છે. આ માત્ર શૂન્યતાના ક્ષણોમાં જ અનુભવાય છે કે તમે પ્રેમ, આનંદ અને શાંતિને જાણ્યું છે. પરંતુ તાર્કિક રૂપે, માનસિક રૂપે તમને એવું લાગશે કે ખાલીપણું એવી વસ્તુ છે જે તમે નથી ઇચ્છતા.

મોટાભાગના સમયે, મારા મગજમાં એક પણ વિચાર નથી આવતા. હું ખાલી છું. હું જે પ્રવૃત્તિ કરું છું તે માટે જરૂરી છે તે સિવાય, હું ભાગ્યે જ બોલું છું. હું આટલો ખાલી માણસ છું કે કેટલાક પ્રયાસો દ્વારા જ વિચાર અને પ્રવચન થાય છે. જો હું બેઠો છું, તો હું નથી તો વિચારતો કે ન મારી પાસે બોલવા માટે શબ્દ હોય છે. હું તદ્દન ખાલી છું.

જો તમે સંપૂર્ણ રીતે ખાલી થઈ જાઓ, તો તમે જોશો કે આખું અસ્તિત્વ તમારામાં સમાવિષ્ટ થઈ જશે. જો તમે વિચારોથી ભરેલા છો, તો અહીં અને ત્યાં તમારા વિચારો તમારા અસ્તિત્વ સાથે ફીટ થઈ શકે છે. પરંતુ જો તમારામાં એવું કશું જ નથી કે જેને તમે તમારું પોતાનું કહી શકો..જો તમે માત્ર એક ખાલી જગ્યા છો, તો આખું અસ્તિત્વ તમારામાં સંપૂર્ણ રીતે ફિટ બેસે છે.

જો તમે સંપૂર્ણ રીતે પુરેપુરા ખાલી થઈ જાઓ, તો ભેગા થવા ખાતર કોઈ સભા નહિ કરવી પડે. તમારી પાસે શું છે, તમે તેનો પૂરો આનંદ લેશો. અને તે પણ ત્યાં નથી, તો તમે તેની અનુપસ્થિતિનો આનંદ લેશો.

સંપાદકની નોંધ: જુઓ સદગુરુ શિવના દક્ષિણ ભારતીય પ્રેમ પ્રણયની વાર્તા વર્ણવે છે, જેને દુર્ભાગ્યે સફળતા નથી મળી. જો કે, તેની અલગ ફલશ્રુતિ મળી છે, અને પરિણામ દક્ષિણના કૈલાશના રૂપમાં છે.