About
Wisdom
FILTERS:
SORT BY:
જો તમારી બધી જ ઊર્જા એક દિશામાં કેન્દ્રિત હોય તો આત્મજ્ઞાન દૂર નથી. છેવટે, તમે જે ખોજી રહ્યાં છો તે પહેલેથી જ તમારી અંદર છે.
જો તમે તંદુરસ્ત અને સારાં રહેવા માંગતા હોવ તો પ્રથમ પગલું છે તમારી સિસ્ટમમાં જે થઈ રહ્યું છે તેના પર ધ્યાન આપવું.
ધ્યાનલિંગ એ જીવિત ગુરુ સમાન છે. ગુરુનું મુખ્ય કાર્ય તમારી ઊર્જાઓને પ્રજ્વલિત કરવાનું છે, શિક્ષા આપવાનું કે માર્ગદર્શન કરવાનું નથી,
યોગનો સૌથી અગત્યનો આયામ છે: બધા જ જીવનની સમાવેશિતા અને વિશાળતાનો સંપૂર્ણ અનુભવ. માટી બચાવો.
એકવાર તમે તમારી અને તમારા શરીર વચ્ચે, તમારી અને તમારા મન વચ્ચે અંતર બનાવી લો છો, પછી તે પીડાનો અંત છે.
કોઈ બીજાને સજા આપવાના પ્રયત્નમાં તમે ફક્ત પોતાને સજા આપી બેસો છો.
તમારી જે પણ ક્ષમતા હોય, તેને તેની સીમા સુધી અને તેનાથી થોડી વધારે પ્રયોગમાં લાવવી જોઈએ.
મૂળભૂત રીતે, તમે જીવન છો. જો તમારી અંદર જીવન શાનદાર રીતે ઘટિત થઈ રહ્યું હોય - તો તે સૌથી મોટી સફળતા છે.
જીવનની પુનરાવર્તનમાં થતી ઢબોમાં સલામતી છે પરંતુ કોઈ સંભાવના નથી, કોઈ વિકાસ નથી.
જો તમે તમારા વ્યક્તિત્વનું કવચ તોડી પાડો, તો તમે બસ એક ઉપસ્થિતિ હશો - જેમ જીવન છે તેમ, જેમ ઈશ્વર છે તેમ, બસ એક ઉપસ્થિતિ.
આશાઓ તૂટવી કોઈ ખરાબ વસ્તુ નથી, જો તમારી આશાઓ તૂટી ગઈ છે તો તેનો અર્થ છે તમે વાસ્તવિકતાની વધુ નજીક આવી રહ્યાં છો.
તમને ખબર પડવી જોઈએ કે ક્યારે તર્કનો ઉપયોગ કરવો અને ક્યારે ન કરવો. જો તમે તાર્કિક રીતે વિશ્લેષણ કરશો તો જીવનની બધી જ સુંદર વસ્તુઓ મૂર્ખતાભરી લાગશે.