Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
ડર અને અજ્ઞાન હંમેશા એકસાથે હોય છે. જ્ઞાનની સ્પષ્ટતા વ્યક્તિને ડરથી મુક્ત કરે છે.
જો તમે જુઓ કે તમારું જીવન કેટલું નાજુક છે અને ગમે તે ક્ષણે તે ઊંધું ચત્તુ થઈ શકે છે, તો તમે આ ધરતી પર હળવેકથી ચાલશો.
સમાવેશ કરવો એ જીવવાનો વધારે બુદ્ધિમાન રસ્તો છે કેમ કે આખું અસ્તિત્વ તે રીતે જ કામ કરે છે.
જંગલોનો બીજો કોઈ વિકલ્પ નથી. આ સમૃદ્ધ ઈકોસીસ્ટમ આપણી સહાય વિના કરોડો વર્ષોથી ખીલી રહી છે. આ જ સમય છે તેમનું શોષણ બંધ કરવાનો.
દુનિયાને તમારું યોગદાન તમે પોતે છો - તમે કેવી રીતે જીવો છો, તમે કેટલા આનંદિત છો, તે દરેક વસ્તુની એક અસર હોય છે.
જો તમે જીવનનો હેતુ જાણવા માંગતા હોવ તો તમારે શરીર અને મનની સીમાઓથી પરે જોવાની જરૂર છે.
પૃથ્વી પરનો પાણીનો જથ્થો સમસ્યા નથી - સવાલ ગુણવત્તા, વહેંચણી અને ઉપલબ્ધીનો છે. એકમાત્ર સાચું સમાધાન દુનિયામાં ચેતનાનું પૂર લાવવું છે.
જો તમે માનવતાથી છલકાઈ ઉઠો, તો દિવ્યતા અવતરે છે.
ધ્યાનનો અર્થ છે તમારી અંદર પરમ સ્વતંત્રતા.
જીવન અંદરથી ઘટિત થાય છે. તમે આ વિષે કેટલા જાગરૂક છો તે તમારા શરીર, મન અને જીવનના અનુભવની ગુણવત્તા નક્કી કરે છે.
વિષુવકાલ તમારી સિસ્ટમમાં સંતુલન લાવવાનો દિવસ છે - આ કે પેલા સાથે ઓળખાવાનો નહિ પણ બસ જીવનથી ધબકવાનો દિવસ.
આધ્યાત્મિક માર્ગ પર, સૌથી પહેલી વસ્તુ અનુભવના સ્તરે તે સુનિશ્ચિત કરવું છે કે તમે અત્યારે ક્યાં છો. તમે પોતે જ્યાં હોવ ત્યાંથી જ યાત્રા શરુ કરી શકો છો.