Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
આપણને કોઈ સત્તાની સત્ય તરીકે જરૂર નથી. સત્ય પોતે જ એકમાત્ર સત્તા છે.
નિષ્કર્ષો તમને સ્પષ્ટતા વિના આત્મવિશ્વાસ આપે છે. સ્પષ્ટતા વગરનો આત્મવિશ્વાસ એક આફત છે.
આપવામાં તૃપ્તિ રહેલી છે.
તમારો જીવનનો અનુભવ કેટલો ગહન છે, અને તમે જે કરો છો તેમાં તમે કેટલા અસરકારક છો - જીવનમાં બસ આ જ મહત્ત્વનું છે.
મન ગાંડપણ છે. જ્યારે તમે મનથી પરે જશો ત્યારે જ ધ્યાન ઘટિત થશે.
માટી એક જીવંત અસ્તિત્વ છે - તે આપણી સંપત્તિ નથી. તે એક વારસો છે જે આપણને મળ્યો છે. આપણે તે વારસો ભવિષ્યની પેઢીઓને જીવંત માટીના રૂપમાં સોંપવાનો છે.
જે વ્યક્તિ પોતાની અંદર સતત આરામમાં છે તે અંતહીન પ્રવૃતિઓ કરવા સક્ષમ છે.
એવું ન વિચારો કે તમારા પૈસા, સંબંધો કે પરિવાર એક વીમો છે. એકમાત્ર સાચો વીમો છે એ જાણવું કે કેવી રીતે પોતાને દરેક સ્તરે ઠીક રાખવા. તે છે યોગ.
અસ્તિત્વ માનવ-કેન્દ્રિત નથી. તમે આ બ્રહ્માંડમાં એક નાનકડો કણ છો.
મારી ઈચ્છા અને આશીર્વાદ છે કે તમે બધા ધ્યાનલિંગને અનુભવો. તમે ભલે દુનિયામાં જ્યાં પણ હોવ, જો તમે સંભાવના પ્રત્યે ખુલ્લા છો, તો આધ્યાત્મિક મુક્તિનું બીજ તમારું છે.
અજ્ઞાન આનંદ છે - જ્યાં સુધી વાસ્તવિકતા તમારી સામે ન આવે ત્યાં સુધી.
તમારું પોતાનું મન અંદરથી તમને દિવસમાં હજાર વખત પીડા આપી શકે છે. તે એક દુઃખનું નિર્માણ કરતું મશીન કે પછી એક ચમત્કાર બની શકે છે - પસંદગી તમારી છે.