சத்குருவ நீங்க ஏன் இந்தஅளவுக்கு நேசிக்கிறீங்க?

ગૂગલ પર કરેલી એક સામાન્ય સર્ચ, તેમના માટે એક જીવન બચાવનાર અનુભવ હતો અને સ્વયંની શોધ માટેની યાત્રાની શરૂઆત હતી. આ છે આમોદની વાર્તા.
 

"તમે સદ્‍ગુરુને આટલો બધો પ્રેમ શા માટે કરો છો?”,  મારી ૧૮ વર્ષની પુત્રીએ મને મસ્તીમાં પૂછ્યું. આશ્ચર્યજનક રીતે, મારી પાસે તેને જવાબ આપવા શબ્દો ન હતાં. હું તદ્દન અવાક્ થઈ ગયેલો – મારી સાથે આવું ભાગ્યે જ બને. જેમ મને સ્મરણ થયું કે આ બધું કઈ રીતે શરૂ થયેલું તેમ તેમ મારા મનમાં સ્મૃતિઓ મંથન કરવા લાગી. ત્રણ વર્ષ પહેલાં હું મારે એક જૂની મિત્ર વિષે ગૂગલ ઉપર સર્ચ કરી રહ્યો હતો. ત્યારે મને ખબર પડી કે તેણે સદ્‍ગુરુના જીવન ઉપર 'યૂ' ('તમે') નામનું એક ખૂબ અંગત પુસ્તક લખ્યું હતું. તેણે કરેલાં સદ્‍ગુરુના વર્ણનોએ મારામાં જિજ્ઞાસા જગાડી અને હું તે પછી હું વધુ જાણવા ઈચ્છવા લાગ્યો.

પ્રૌઢાવસ્થાનું સંકટ અને અન્ય

થોડા વર્ષથી, હું સંધિવાના દુખાવાથી પીડાઈ રહ્યો હતો અને મારામાં ઘણાં-બધાં પ્રકારનાં ખોરાક મને માફક આવતાં બંધ થઈ ગયાં હતાં. દુખાવો એટલો ખરાબ હતો કે હું મારી દૈનિક પ્રવૃત્તિઓ કરવા માટે રોજ પઇનકિલર(દર્દનાશક) દવાઓ લેતો હતો. મારાં વ્યવસાયમાં પણ વસ્તુઓ ઠીક નહોતી જઈ રહી - હું વારંવાર મારા સહકર્મીઓ સાથે સંઘર્ષમાં ઊતરી જતો. હું ખૂબ તાણ અને ચિંતા અનુભવવી રહ્યો હતો. મને હવે પછી શું થશે તેનો કોઈ ખ્યાલ ન હતો કે. જો કે, મેં તેને ‘પ્રૌઢાવસ્થાનું સંકટ’ કહેતાં શીખી લીધું હતું, મને ખબર હતી કે, હું કોઈ પણ રીતે આમાંથી બહાર નીકળવા માંગતો હતો. મારા કામ ઉપર કોઈના માર્ગદર્શનથી, મેં ભાવનાત્મક બુદ્ધિમત્તા(ઈમોશનલ ઈંટેલિજંસ) વિષે વાંચવાનું શરૂ કર્યું અને પછી આરામ મેળવવા માટે અમુક પ્રાણાયામો પણ કરવા માંડ્યો. પણ તેનો પ્રભાવ ફક્ત થોડા સમય પૂરતો જ રહ્યો. મારી ઈચ્છા આનાથી વધુની હતી. અને તે 'વધું' મારા તરફ આવ્યું.

મેં 'ઈશા ક્રિયા’થી થતાં ફાયદાઓ વિષે સાંભળ્યું હયું, 'ઈશા ક્રિયા' એ સદ્‍ગુરુ દ્વારા અર્પિત એક સરળ નિર્દેશિત ધ્યાન છે. અને મેં તેને અજમાવી જોવાનું નક્કી કર્યું. ઈશા ક્રિયાનો દૈનિક અભ્યાસ ખૂબ જલ્દી મારા દિવસની મુખ્ય વાત બની ગઈ અને તેની સાથે મારામાં સ્થિરતાની એક ભાવના આવી. છ મહિનાના અભ્યાસ બાદ,  મેં ઇનર એન્જીનિયરીંગ કાર્યક્રમ કર્યો.

નવેમ્બર ૨૦૧૪માં ઈનર એન્જીનિયરીંગ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મારી સિડની સુધીની લાંબી યાત્રા મને આબેહૂબ યાદ છે. આ યાત્રાએ મને હું જીવનમાં ક્યાં હતો અને હું આ પગલું કેમ ભરી રહ્યો હતો તેનું મનન કરવાનો સમય આપ્યો. શું અપેક્ષા રાખવી તે હું જાણતો નહોતો તેમ છતાં, એવું લાગ્યું જાણે હું આગળ વધી રહ્યો હતો. મને લાગી રહ્યું હતું કે કંઈક અસાધારણ થવા જઈ રહ્યું છે,

સદ્‍ગુરુએ મને એ શીખવ્યું જે કોઈ નેતૃત્વનો કાર્યક્રમ ક્યારેય ન શીખવી શકે 

કાર્યક્રમના અંતમાં, એક બીજી ક્રિયા - શાંભવી મહામુદ્રાથી સજ્જ થઈને હું ત્યાંથી ગયો. મારા મુસાફરીઓથી ભરેલાં ખૂબ જ વ્યસ્ત ટાઈમટેબલ છતાં  મેં દરરોજ બે વખત શાંભવીનો અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું. અને હું જે રીતે વર્તન કરતો અને મારી આસપાસનું અવલોકન કરતો તેમાં હું નાના નાના ફેરફારો નોંધવા લાગ્યો. કુદરતી રીતે હું વધુ ને વધુ શાંત તેમજ કરુણામય થઈ ગયો. જેમ જેમ મારી આંતરખોજની યાત્રા ઊંડી થતી ગઈ તેમ તેમ શિસ્તની એક નવો ભાવના સુયોજિત થતી ગઈ. હું મારા ભૂતપૂર્વ સાથીઓ - તાણ અને ચિંતાથી છૂટો થયો. મારા એક સહકર્મીએ તો કહ્યું પણ ખરું કે, તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં હું શાંતિથી રસ્તાઓ કાઢવા લાગ્યો હતો.

આનાથી પ્રેરિત થઈ અને ‘વધુ’ની ઝંખના સાથે,  મેં ૨૦૧૫માં ઈશાના બીજા કાર્યક્રમોમાં ભાગ લીધો: મેં હઠયોગ કાર્યક્રમોમાં અને એડવાંસ કાર્યક્રમો જેવાં કે, ભાવ-સ્પંદન અને શૂન્ય-ઇન્ટેનસીવમાં ભાગ લેવા નામ નોંધાવ્યું. મેં કોઈમ્બતુર પાસે ઈશા યોગ કેન્દ્રની  બે વખત મુલાકાત લીધી, અને બન્ને વખત, હું સદ્‍ગુરુને જોવા અને તેમને સાંભળવા માટે ભાગ્યશાળી હતો. સદ્‍ગુરુએ મને એ શીખવ્યું જે મેં પહેલાં કરેલાં કોઈ પણ નેતૃત્વના કાર્યક્રમો મને શીખવાડી શક્યા નહીં. હું વધુ જાગૃત અને વધુ જીવંત બની ગયો. હું વિશુદ્ધ તર્ક અને કરુણા વચ્ચે એક સંતુલન શોધી શક્યો છું, જેથી હું એક મેકેનિકલ ઇન્જિનિયરિંગના મારા વ્યવસાયમાં, એક આગેવાન અને એક સહકર્મી તરીકે સફળ રહ્યો છું.

ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બન ખાતે ઈશાની જ્યોત પ્રગટાવી

ઈશા ફોઉન્ડેશન સાથે સ્વયંસેવક બનવું તે મારા જીવનમાં તે પછીનો વળાંક હતો. યોગાભ્યાસોની મધુરતાનો સ્વાદ ચાખ્યા પછી, મેં નક્કી કર્યું કે મારી અંતરની યાત્રાને વધુ ઊંડી બનાવવા માટે સૌથી શ્રેષ્ઠ રસ્તો એ જ રહેશે કે હું પોતાની જાતને બીજાને સમર્પિત કરું. પણ બ્રિસ્બનમાં ઈશાની કોઈ પ્રવૃત્તિઓ હતી નહીં – તેથી ત્યાં બીજા સ્વયમસીવકોની કોઈ સપોર્ટ સિસ્ટમ પણ હતી નહીં. તેથી મેં ઈશાંગ(ઈશાનું અંગ) બનવા માટે પ્રતિબદ્ધતા દાખવી, જેથી હું સદ્‍ગુરુની આત્મ-પરિવર્તનની પદ્ધતિઓ વધુ લોકો માટે ઉપલબ્ધ કરવી શકું. મેં ઈશાંગ બનતાં પહેલાં બીજી વખત વિચાર પણ કર્યો નહીં. બીજા ઈશા કેન્દ્રો, શિક્ષકો અને સ્વયંસેવકોની મદદથી, અમે બે વર્ષમાં બ્રિસ્બનમાં ધીમે ધીમે પણ સતત ૮૦૦થી વધુ લોકો માટે ઈશા કાર્યક્રમો આયોજિત કર્યા. મેં ક્યારેય મારા કરતાં આટલી મોટી કોઈ વસ્તુનો ભાગ થવાની કલ્પના પણ નહોતી કરી. મને ખરેખર તેવું જ લાગેલું, જાણે હું ઈશાનો એક ભાગ છું, ભલે ગમે તેટલો નાનો! અને તેથી, એક રીતે, સદ્‍ગુરુનો પણ.

મારી પુત્રીના પ્રશ્ન તરફ પાછા વળતાં:

હું તેમને આટલો બધો પ્રેમ શા માટે કરું છું? સદ્‍ગુરુ પ્રત્યે મારી કૃતજ્ઞતા વ્યક્ત કરવા હું કયા શબ્દો વાપરી શકું? તેઓએ મારા માટે જે કર્યું છે તે અતુલ્ય છે, અને તેણે મારૂં જીવન પણ બચાવ્યું છે. મેં આ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ હું અવાક્ થઈ ગયો. આ સદ્‍ગુરુ સાથેના મારા સંબંધનો ઘણો ખરો સરવાળો છે.

આમોદ દાતાર ઓસ્ટ્રેલિયાની એક આગળ પડતી ફર્ટિલાઈઝર કંપની ઈન્સાઈટેક પિવોટના ઉત્તર ઓસ્ટ્રેલિયન ઓપરેશન્સના રિલાયિબિલિટી ઈંપ્રૂવમેન્ટ મેનેજર (વિશ્વાસનીયતા સુધારણા વ્યવસ્થાપક) છે.