સ્વજનને ગુમાવ્યાના તમારા શોકને વખોડવાનો મારો ઉદ્દેશ નથી, પણ હું તમને એ સમજાવવા માંગું છું કે, જો તમે સ્વયંને સંપૂર્ણ બનાવવા માટે સંબંધનો ઉપયોગ કરતા હોવ, તો, જ્યારે તમે તે સંબંધને ગુમાવી દેશો, ત્યારે તમે ખાલી થઈ જશો. જો તમે એટલા માટે સંબંધ પ્રસ્થાપિત કરો છો, કારણ કે તમે તમારી પૂર્ણતા વહેંચવા માગો છો, તો પછી કોઈ શોકની સ્થિતિ રહેશે નહીં.