Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
વાસના એક પ્રબળ જરૂરિયાત છે. પ્રેમ જરૂરિયાત નથી. જ્યારે તમે પ્રેમ કરો છો, ત્યારે તમે સ્થાયી થઈ જાઓ છો; વધુ કશાની જરૂર નથી રહેતી.
જે વ્યક્તિ મરવા માટે તૈયાર છે તે જ પૂરેપૂરી રીતે જીવી શકે છે.
જ્યારે કોઈ કામ ભક્તિ વિના કરવામાં આવે, ત્યારે તે બંધન તરફ લઈ જાય છે. જ્યારે ઊંડી ભક્તિ સાથે કરવામાં આવે, ત્યારે તે મુક્તિ તરફ લઈ જાય છે.
તમારા તર્કથી ઉપર ઉઠવું એ મુક્તિ આપનારું છે, પણ તર્કને છોડી દેવું એ મુર્ખામી છે.
પૂરેપૂરી રીતે જીવંત હોવું શાનદાર છે. અડધું જીવંત હોવું એક ત્રાસ છે.
આનંદ લક્ષ્ય નથી - તે દુઃખનો ભય દૂર કરે છે. જ્યારે "મારું શું થશે" તે ચિંતા દૂર થઈ જાય ત્યારે જ તમે જીવનને ખોજવાની હિંમત કરશો.
આધ્યાત્મિક પ્રક્રિયાનો મતલબ બસ એ જ છે કે તમારી આંતરિક બુદ્ધિમત્તા સજાગ છે. સમય સીમિત છે. જે થવાની જરૂર છે તે અત્યારે જ થવું જોઈએ.
તમારી અંદર ડર ઉત્પન્ન કરવા, તમારે તેની કલ્પના કરવી પડે છે જે ઘટિત થયું નથી. ડરમાંથી મુક્ત થવા માટે તમારે કંઈ જ કરવાની જરૂર નથી.
તમારું જીવન તમારું કર્મ છે - તે તમારું બનાવેલું છે. તમે તે ન જુઓ ત્યાં સુધી, તમારું જીવન ખરેખર તમારું નથી.
શરીર અને મન ઉપર ચડવાની સીડી બનવા જોઈતા હતા. પણ તેના બદલે, તેઓ લોકો જેમાં આજીવન ફસાય જાય છે તેવો કાદવ બની જાય છે.
પ્રેમ બની જાઓ. તે જીવવાની એક બુદ્ધિશાળી રીત છે.
ગુરુ તમારામાં રહેલા અંધકારને દૂર કરે છે. તેઓ અંદરથી પ્રજ્વલિત છે. તમે પણ આ જ્વાળા સાથે પ્રજ્વલિત થઈને જે તમને રોકી રાખે છે તે બધાથી પરે જાઓ તેવી કામના.