Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
જો તમે તમારી આસપાસની બધી પરિસ્થિતિમાં પોતાને પોતાની અંદર સુખદ કેમ રાખવા તે જાણવા હોવ તો તમને પરમ મુક્તિથી વંચિત ન રાખી શકાય.
આપણી સામે કંઇ પણ આવે, આપણે તેને કેવી રીતે રિસ્પોન્સ આપીએ છીએ અને તેમાંથી શું બનાવીએ તે 100% આપણા હાથમાં છે.
મારી ઈચ્છા અને આશીર્વાદ છે કે તમે પોતે જે છો તેના આંતરિક પરિમાણ સુધીની પહોંચો. તે તમે જ્યાં પણ જાવ ત્યાં તમારી સાથે હશે.
જો તમે તમારી ઈચ્છાઓની ચાવી ભરવાને બદલે તમારી ક્ષમતાઓને વધારો તો તમે જીવનમાંથી સહજતાથી, શાલીનતાથી અને ઘણી સારી રીતે પસાર થશો.
તમે જેને સફળતા ગણો છો તેના કરતા જેને સામાન્ય રીતે નિષ્ફળતા ગણવામાં આવે છે તે તમારા જીવનના અનુભવને ઘણો વધુ ગહન બનાવે છે.
બહારથી તમને પ્રેરણા અને માર્ગદર્શન મળી શકે, પણ પોતાને જાણવા એ હંમેશા અંદરથી જ થઈ શકે.
માતૃત્વની સુંદરતા જન્મ આપવામાં નથી પણ સમાવેશ કરવામાં છે - બીજા જીવનને તમારા એક ભાગ તરીકે અનુભવવામાં છે.
તમારું જીવન તમારી સ્પષ્ટતા અને ક્ષમતાના આધારે ઘટિત થાય, સંયોગ કે બીજા કોઈની દયા અને કરુણાના આધારે નહિ એવી કામના.
સત્તા તેના પોતાનામાં ભ્રષ્ટાચાર નથી. પણ જ્યારે વર્ચસ્વની લાલસા ધરાવતા લોકોને સત્તા મળે છે ત્યારે તે ભ્રષ્ટાચારનો સ્ત્રોત બની જાય છે.
When you truly realize that you do not know, there will be no prejudice and no judgment in you. You will just become a being.
માણસ હોવાનો અર્થ છે તમે જે કરો તે બધા વિષે જાગરૂક હોવામાં સક્ષમ હોવું.
એકવાર તમારી અને તમારી વિચાર પ્રક્રિયા વચ્ચે એક અંતર હોય, ત્યારે એક નવી આઝાદીનો જન્મ થાય છે. આ આઝાદી સાથે એક નવા બોધનો ઉદય થાય છે.